ઓસ્ટ્રેલિયાનું રાજ્ય ક્વીન્સલેન્ડમાંથી ગંભીર બાયો સિક્યોરિટી સુરક્ષા ભંગના સમાચાર સામે આવ્યા છે. ક્વીન્સલેન્ડ સરકારે સોમવારે જાહેરાત કરી હતી કે, ત્યાંની જાહેર આરોગ્ય પ્રયોગશાળામાંથી ઘણા જીવલેણ વાયરસના 323 નમૂના ગુમ થયા છે. આ વાયરસમાં હેન્ડ્રા વાયરસ, લિસા વાયરસ અને હંતા વાયરસનો સમાવેશ થાય છે, જે મનુષ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.
આરોગ્ય વિભાગની ટીમે આ ઘટનાની તપાસ શરૂ કરી
ક્વીન્સલેન્ડમાં આરોગ્ય વિભાગની ટીમે આ ઘટનાની તપાસ શરૂ કરી છે, તેણે બાયો સિક્યોરિટી પ્રોટોકોલનો ઐતિહાસિક ભંગ ગણાવ્યો છે. ગુમ થયેલા સેમ્પલ વિશે હજુ એ સ્પષ્ટ નથી થયું કે તે ચોરાઈ ગયા છે કે નાશ પામ્યા છે. જો કે, સરકારે કહ્યું છે કે, આ કેસમાં લોકોમાં હજી સુધી કોઈ ખતરો નથી.
હેન્ડ્રા વાયરસ એક ઝૂનોટિક વાયરસ છે
હેન્ડ્રા વાયરસ એક ઝૂનોટિક વાયરસ છે, જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં સંક્રમિત થઈ શકે છે અને તે માત્ર ઓસ્ટ્રેલિયામાં જ જોવા મળે છે. હંટા વાયરસ અને લિસા વાયરસ પણ એવા વાયરસ છે જે ગંભીર બીમારી અને મૃત્યુનું કારણ બની શકે છે. લિસા વાયરસ પરિવારમાં હડકવા વાયરસનો પણ સમાવેશ થાય છે, જે લગભગ હંમેશા સારવાર વિના વ્યક્તિને મારી શકે છે. ક્વીન્સલેન્ડના આરોગ્યમંત્રી ટિમોથી નિકોલ્સે જણાવ્યું હતું કે, આ ઉલ્લંઘનની ગંભીરતાને જોતાં આરોગ્ય વિભાગે સ્ટાફને ફરીથી પ્રશિક્ષિત કરવા અને સામગ્રીના યોગ્ય સંગ્રહની ખાતરી કરવા માટે સક્રિય પગલાં લીધાં છે. તેમણે એમ પણ કહ્યું કે, આ ઘટનાની તપાસ ભાગ 9 તપાસ હેઠળ કરવામાં આવશે જેથી કેસના કોઈપણ પાસાને નજર અંદાજ કરવામાં ન આવે.
આ વાયરસ મનુષ્યો પર ખૂબ જ ગંભીર અસર કરી શકે છે
નોર્થ ઈસ્ટર્ન યુનિવર્સિટીના ડો. સેમ સ્કાર્પિનોએ આ ઘટનાને નોંધપાત્ર બાયો સિક્યોરિટી ક્ષતિ ગણાવી છે. તેમણે કહ્યું કે, આ વાયરસ મનુષ્યો પર ખૂબ જ ગંભીર અસર કરી શકે છે, પરંતુ આ વાયરસ સામાન્ય રીતે એક વ્યક્તિથી બીજામાં ફેલાતા નથી. આ હોવા છતાં, આ વાયરસ પ્રાણીઓ અને ઢોર માટે ખતરો છે.
બાયો સિક્યોરિટી પ્રોટોકોલમાં વધુ સુધારાની જરૂર
જો કે, ક્વીન્સલેન્ડના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જોન ગેરાર્ડે જણાવ્યું હતું કે, જો વાયરસના નમૂનાઓને ઠંડા તાપમાનથી દૂર રાખવામાં આવે તો તે ઝડપથી બગડી શકે છે અને હવે તે ચેપી નથી. આમ છતાં તપાસ દરમિયાન એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આ સેમ્પલ ક્યાં ગયા અને હવે તેનાથી કોઈ ખતરો છે કે કેમ. આ ઘટના સંકેત આપે છે કે, બાયો સિક્યોરિટી પ્રોટોકોલમાં વધુ સુધારાની જરૂર છે અને આ બાબતમાં વધુ રોકાણ અને પારદર્શિતાની જરૂર છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech