હવે ભારત ચાલશે પોતાના સમય પર: સ્વદેશી અણુ ઘડિયાળ તૈયાર

  • March 30, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારત સ્વદેશી 'બિડિયમ એટોમિક કલોક' સાથે હોમ કમ્પ્યુટર અને સ્માર્ટફોનને જોડવા માટે તૈયાર છે. તે જૂનમાં શ થઈ શકે છે. હાલમાં, ઈન્ટરનેટ પર ભારતીય સિસ્ટમો અમેરિકાના નેટવર્ક ટાઈમ પ્રોટોકોલ સાથે જોડાયેલ છે. આ સમગ્ર કમ્પ્યુટર નેટવર્ક પરનો સમય નક્કી કરે છે. ટૂંક સમયમાં બિડિયમ પરમાણુ ઘડિયાળો આપણા કમ્પ્યુટર અને સ્માર્ટફોન પર સમય સેટ કરશે. આ સાથે ભારત અમેરિકા, બ્રિટન, જાપાન અને દક્ષિણ કોરિયા પછી વિશ્વનો પાંચમો દેશ બની જશે, જેનું કમ્પ્યુટર નેટવર્ક પોતાની પરમાણુ ઘડિયાળ પર ચાલશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) દ્રારા સ્વદેશી અણુ ઘડિયાળ વિકસાવવામાં આવી છે. કારગિલ યુદ્ધ દરમિયાન યુએસએ ભારતને જીપીએસ એકસેસ નકાર્યા પછી બિડિયમ એટોમિક કલોક બનાવવામાં આવી હતી. આયાતી અણુ ઘડિયાળનો ઉપયોગ ૨૦૧૩ અને ૨૦૨૩ વચ્ચે દેશમાં લોન્ચ કરાયેલા નવ પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ) સેટેલાઇટમાં કરવામાં આવ્યો હતો. મે, ૨૦૨૩માં લોન્ચ કરાયેલ નાવિકની ૧૦મી આવૃત્તિમાં પ્રથમ વખત સ્વદેશી અણુ ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અણુ ઘડિયાળની શોધ ૧૯૫૫માં બ્રિટિશ ભૌતિકશાક્રી લેવિસ એસેન દ્રારા કરવામાં આવી હતી. અણુ ઘડિયાળો અંદાજની દ્રષ્ટ્રિએ સૌથી સચોટ માનવામાં આવે છે. આમાં સેકન્ડના અબજમા ભાગની ગણતરી કરવાની ક્ષમતા છે. દરેક ઉપગ્રહમાં એક અણુ ઘડિયાળ હોય છે, જે વિવિધ ભ્રમણકક્ષામાં સ્થિતિની માહિતી પૂરી પાડે છે. જો ત્રણથી વધુ ઉપગ્રહોની અણુ ઘડિયાળ નિષ્ફળ જાય, તો તેના સ્થાને ઉપગ્રહો લોન્ચ કરવા પડે છે. કવાર્ટઝ ઘડિયાળોમાં, કવાર્ટઝ ઓસિલેટર દર કલાકે એક નેનોસેકન્ડ (સેકન્ડનો એક અબજમો ભાગ) ધીમો પડી જાય છે. ચોક્કસ સમય રાખવા માટે તેમને દર કલાકે એડજસ્ટ કરવું પડશે. અણુ ઘડિયાળમાં આવા ગોઠવણો જરી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application