જો આપણે નેપાળની વર્તમાન આર્થિક સ્થિતિ પર નજર કરીએ તો તે સ્પષ્ટ થાય છે કે દેશ જુલાઈથી નવેમ્બર 2024 સુધીમાં 460 અબજ રૂપિયાની વેપાર ખાધનો સામનો કરી રહ્યો છે. આ ખાધ મુખ્યત્વે આયાત અને નિકાસ વચ્ચેના અસંતુલનને કારણે છે. નાણાકીય વર્ષના આ ચાર મહિનામાં નેપાળે રૂ. 513.38 અબજના માલની આયાત કરી હતી, જ્યારે તેની નિકાસ માત્ર રૂ. 52.67 અબજ સુધી મર્યિદિત હતી. આ વિશાળ અસંતુલન વેપાર ખાધનું મુખ્ય કારણ છે.
કસ્ટમ્સ વિભાગના સત્તાવાર ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં નેપાળની વેપાર ખાધ 460.71 અબજ રૂપિયા પર પહોંચી ગઈ છે. કસ્ટમ્સ વિભાગના જણાવ્યા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં આ વખતે જુલાઈથી નવેમ્બરના મધ્ય સુધીમાં આયાતમાં 0.17 ટકા અને નિકાસમાં 4.16 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ સમયગાળા દરમિયાન, નેપાળના ભારત સાથેના વ્યાપારી સંબંધો પર નોંધપાત્ર અસર થઈ છે, જેના પરિણામે બંને વચ્ચે 281 અબજ રૂપિયાનું નુકસાન થયું છે. ઉદાહરણ તરીકે, એકલા જુલાઈ અને નવેમ્બર વચ્ચે, નેપાળે ભારતમાંથી રૂ. 317 અબજના માલની આયાત કરી હતી, જેમાં ડીઝલ (રૂ. 29.4 અબજ), પેટ્રોલ (રૂ. 21.56 અબજ) અને એલપીજી (રૂ. 18.85 અબજ) મુખ્ય હતા. જ્યારે તેના બદલામાં નેપાળે ભારતને માત્ર 36 અબજ રૂપિયાનો સામાન આપ્યો છે.
વડા પ્રધાન કેપી શમર્િ ઓલીના નેતૃત્વમાં નેપાળે ચીન સાથેના સંબંધો મજબૂત કયર્.િ આ દરમિયાન સમાચાર છે કે તેઓ ફરી એકવાર ચીનની મુલાકાતે જવાના છે. ઓલી સરકારે (બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ) કરાર પર હસ્તાક્ષર કયર્િ હતા, જેનો ભારતે વિરોધ કર્યો હતો. કદાચ આ જ કારણે નેપાળને આર્થિક નુકસાન થયું છે.
વેપાર ખાધ ઘટાડવા માટે નેપાળે નિકાસ ક્ષમતાને વેગ આપવો પડશે અને આયાત પર નિર્ભરતા ઘટાડવી પડશે. આ સાથે ચીન અને ભારત બંને સાથે સંતુલિત વેપાર અને રાજદ્વારી સંબંધો જાળવવા જરૂરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech