ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ કરતા 600 વર્ષ પહેલા થયું હતું નાલંદા વિશ્વ વિદ્યાલયનું નિર્માણ

  • June 19, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લગભગ 800 વર્ષની લાંબી રાહ બાદ નાલંદા યુનિવર્સિટીને તેના જૂના સ્વરૂપમાં ફેરવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. નવા કેમ્પસના ઉદ્ઘાટની નવી તસવીરો વચ્ચે તેના ઈતિહાસની પણ વાત થઈ રહી છે. વિશ્વની પ્રથમ રેસિડેન્શિયલ યુનિવર્સિટી નાલંદા પોતાની સાથે એટલો પ્રાચીન ઇતિહાસ ધરાવે છે કે તેના વિશે ઘણા પુસ્તકો લખવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે જ્યારે વિશ્વમાં વિશ્વવિદ્યાલયોનું નિર્માણ થવાનું શરૂ થયું ત્યારે નાલંદાએ પોતાનો સો વર્ષનો વારસો બનાવી લીધો હતો.


જ્યારે પણ વિશ્વની ટોચની યુનિવર્સિટીઓની વાત થાય છે ત્યારે ઓક્સફર્ડ અને કેમ્બ્રિજનું નામ મનમાં આવે છે. પરંતુ નાલંદા યુનિવર્સિટી તેના કરતા પણ જૂની અને પ્રખ્યાત યુનીવર્સીટી રહી ચુકી છે. નાલંદા ત્રણ શબ્દોથી બનેલું છે - ના, આલમ અને દા. તેનો અર્થ એવી ભેટ કે જેની કોઈ મર્યાદા નથી. તે 5મી સદીમાં ગુપ્તકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું અને 7મી સદી સુધીમાં તે એક મહાન યુનિવર્સિટી બની ગયું હતું.


 તે એક વિશાળ બૌદ્ધ મઠનો ભાગ હતો અને કહેવાય છે કે તેની હદ લગભગ 57 એકર હતી. આ સિવાય ઘણા રિપોર્ટ્સમાં આનાથી પણ મોટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેટલાક રેકોર્ડ્સ અનુસાર તે કેરીના બગીચા પર બાંધવામાં આવ્યું હતું. જે ગૌતમ બુદ્ધને કેટલાક વેપારીઓ દ્વારા આપવામાં આવ્યા હતા.


આધુનિક વિશ્વને 19મી સદી દરમિયાન તેના વિશે જાણવા મળ્યું. આ યુનિવર્સિટી ઘણી સદીઓ સુધી ભૂગર્ભમાં દટાયેલી હતી. 1812 માં બિહારમાં સ્થાનિક લોકો દ્વારા બૌદ્ધિક મૂર્તિઓ મળી હતી. ત્યારબાદ ઘણા વિદેશી ઇતિહાસકારોએ તેનો અભ્યાસ કર્યો હતો.


નાલંદા યુનિવર્સિટી ખાસ હતી કારણ કે મહાન શિક્ષકોએ સમયાંતરે અહીં ભણાવ્યું હતું. આ મહાન શિક્ષકોમાં નાગાર્જુન, બુદ્ધપાલિત, શાંતરક્ષિત અને આર્યદેવના નામ સામેલ છે. જો આપણે અહીં ભણતા લોકો વિશે વાત કરીએ તો ઘણા દેશોમાંથી લોકો અહીં ભણવા આવતા હતા. પ્રખ્યાત ચાઇનીઝ પ્રવાસીઓ અને વિદ્વાનો હ્યુએન ત્સાંગ, ફા હિએન અને ઇટ્સિંગે પણ અહીં અભ્યાસ કર્યો હતો. હ્યુએન ત્સંગ નાલંદાના આચાર્ય શીલભદ્રના શિષ્ય હતા. હ્યુએન ત્સાંગે નાલંદા યુનિવર્સિટીમાં 6 વર્ષ સુધી કાયદાનો અભ્યાસ કર્યો હતો.


કેમ્પસ કેટલું વિશાળ હતું


આ યુનિવર્સિટીની ભવ્યતા એટલી હતી કે તેમાં 300 રૂમ, 7 મોટા ઓરડા અને અભ્યાસ માટે 9 માળની લાઇબ્રેરી હતી. ઉપરાંત તે ઘણા એકરમાં ફેલાયેલું હતું. અહીં દરેક વિષયના ઊંડાણપૂર્વક અભ્યાસ માટે 9 માળની લાઇબ્રેરી બનાવવામાં આવી હતી. જેમાં 90 લાખથી વધુ પુસ્તકો રાખવામાં આવ્યા હતા. કહેવાય છે કે જ્યારે તેને આગ લગાડવામાં આવી ત્યારે તેની લાયબ્રેરી 3 મહિના સુધી સળગતી રહી. તેના પરથી તમે કલ્પના કરી શકો છો કે તેમાં કેટલા પુસ્તકો હશે. આ યુનિવર્સિટીની વાર્તા કહે છે કે ભારતનું જ્ઞાન સદીઓથી વિશ્વને પ્રકાશિત કરી રહ્યું છે.


આ યુનિવર્સિટીને જ્ઞાનનો ભંડાર માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો સિવાય અહીં સાહિત્ય, ધર્મશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, ચિકિત્સા, તત્વજ્ઞાન, ખગોળશાસ્ત્ર જેવા અનેક વિષયો ભણાવવામાં આવતા હતા. એવું કહેવાય છે કે તે સમયે જે વિષયો અહીં ભણાવવામાં આવતા હતા તે બીજે ક્યાંય ભણાવવામાં આવતા ન હતા. આ યુનિવર્સિટી 700 વર્ષ સુધી વિશ્વને જ્ઞાનના માર્ગ પર લઈ જતી રહી.


નાલંદાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેની 700 વર્ષની લાંબી સફર પછી બખ્તિયાર ખિલજીએ 12મી સદીમાં તેના પર હુમલો કરીને તેને બાળી નાખી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application