નાગા ચૈતન્ય અને સામંથાના લગ્ન 2017માં થયા હતા, આ વાત દરેક લોકો જાણે છે. લગ્ન બાદ આ બંનેએ એક સાથે મજિલી ફિલ્મ કરી હતી. પરંતુ શોભિતા સાથે થયેલી મિત્રતાએ આ બધુ બગાડ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.
જ્યારે નાગા ચૈતન્ય કરિયરની ઉંચાઈઓ પર હતો ત્યારે તેણે સામંથા સાથે પ્રેમ થયો અને તેની સાથે લગ્ન કર્યા, આ જોડીને જોઈને તમામ ટોલીવુડ સ્ટાર કપલ અને ફેન્સ પણ ઘણા ખુશ હતા. પરંતુ અંગત કારણોથી આ કપલ છૂટા પડી ગયા હતા.
છૂટાછેડાના થોડા દિવસ પછી નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના રિલેશનશિપની અફવાઓ ઉડવા લાગી હતી. આ અફવાઓ સાચી સાબિત થઈ હતી. હાલમાં 8 ઓગસ્ટના રોજ તેણે ગુપચુપ સગાઈ કરી લીધી હતી. ત્યારબાદ ડિસેમ્બરમાં નજીકના પરિવારના સભ્યો અને ફિલ્મી હસ્તીઓ વચ્ચે બંનેએ ધામધૂમથી લગ્ન કર્યા હતા.
આ બધું તો બધા જાણે છે. પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે શોભિતા ધુલીપાલા નાગા ચૈતન્ય અને સામંથાને પહેલાથી જ ઓળખતી હતી. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે શોભિતાએ નાગા ચૈતન્ય અને સામંથા સાથે એક ફિલ્મમાં કામ કર્યું હતું.
નાગા ચૈતન્ય અને સામંથાએ 'યે માયા ચેસાવે', 'મનમ', 'મજિલી', 'ઓટો નગર સૂર્યા' જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. બંનેએ 'મજિલી'માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં દિવ્યાંશા કૌશિકે પણ કામ કર્યું છે. દિવ્યાંશા પહેલા દિગ્દર્શક શિવ નિર્વાણે આ રોલ માટે શોભિતા ધુલીપાલાની પસંદગી કરી હતી. કેટલાક સીન શૂટ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક કારણોસર શોભિતાને આ પાત્રમાંથી દૂર કરવામાં આવી હતી.
આ સમાચાર હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. શૂટિંગ દરમિયાન જ શોભિતા અને નાગા ચૈતન્ય મિત્ર બન્યા હતા. આ જોઈને લોકો કહી રહ્યા છે કે બંને વચ્ચે પહેલાથી જ નિકટતા હતી જેના કારણે સામંથા સાથે છૂટાછેડા થઈ ગયા. આમાં કેટલી હકીકત છે તે આ સ્ટાર્સ જ કહી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech