જનતા નહીં, કોર્પોરેટર ફરિયાદ કરે તો તુરંત ઉકેલાય તેવી એપ આજે લોન્ચ કરશે મનપા

  • March 12, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરનાં નગરસેવકોને તેમના વિસ્તારોના પ્રશ્નો બાબતે ફરીયાદ,તેમજ કોર્પોરેશન બાબતની અધ્યતન માહિતી મેળવવા માટે નું માધ્યમ એટલે કાઉન્સિલર એપ. આ એપનું આજે સાંજે લોન્ચિંગ થશે.આ એપ દ્વારા નગરસેવકો તેમના વિસ્તારની પ્રજાલક્ષી ફરીયાદો જેવી કે પડતર કચરો , ડ્રેનેજ ઉભરાવો,રસ્તામાં ખાડો,પાણીની લાઇનમાં લીકેજ વિગેરે જીઓ લોકેશન સાથે એપ મારફત નોંધાવી શકશે.ફરિયાદની વિગત સીધી સંબંધીત વોર્ડના જવાબદાર કર્મચારીને પહોંચશે.

જવાબદાર કર્મચારી દ્વારા ફરીયાદનો નિકાલ કરીને તેની નોંધ એપમાં કરવામાં આવશે જેની જાણ આ એપ દ્વારા નગરસેવકોને થશે.ફરિયાદનો નિકાલ થયે નિકાલની નોંધ સાથે ફોટો પણ અપલોડ કરવાની સગવડતા પણ છે.આ ઉપરાંત કોર્પોરેટરની તમામ ફરીયાદોની યાદી,તમામ અખબારી યાદી, કોર્પોરેશનની ભરતી સંબંધી તમામ જાહેરાતો, કોર્પોરેશનની ટેન્ડર સંબંધી તમામ જાહેરાતો, ટેલીફોન નંબરો માટે મીની ડાયરી એપ ઉપલબ્ધ થશે.કોર્પોરેશનની વિવિધ સેવાઓને લગત ફોર્મસ જેવા કે લગ્ન નોંધણી, મિલ્કત વેરા નામ ટ્રાન્સફર, જન્મ મરણ, લાઇબ્રેરી, શોપ, ફાયર  વિગેરે એપ ઉપર ઉપલબ્ધ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News