મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું રાત્રીના સમયે હાર્ટ એટેકથી નિધન થયું છે. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો દોડી આવ્યા ગયા હતા.પ્રા વિગતો અનુસાર જિલ્લ ા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા હાઉસિંગ બોર્ડથી મહેન્દ્રનગર ખાતે વોર્ડ નંબર ૪માં એક આગેવાનને મળવા ગયા હતા. તેઓ ત્યાં બેઠા હતા ત્યાં અચાનક જ તેમને હાર્ટ એટેક આવતા તેઓને તાત્કાલિક સારવાર માટે સમર્પણ હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલા જ તેમનું નિધન થયું હતું. કિશોરભાઈએ ચક્ષુદાન કરેલું હોવાથી, તેમના પાર્થિવ દેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. યાં મોટી સંખ્યામાં કોગ્રેસના કાર્યકરો દોડી ગયા હતા.કોગ્રેસના જિલ્લ ા પ્રમુખ કિશોરભાઈ મિલનસાર સ્વભાવના અને લડાયક નેતા તરીકેની ઓળખ ધરાવતા હતા. તેમના અચાનક નિધનથી ચીખલિયા પરિવાર અને કોગ્રેસ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું