ચોમાસુ સપ્ટેમ્બરના અતં સુધી લંબાય તેવી શકયતા: ખેતીને મોટું નુકસાન થશે

  • August 30, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવામાન વિભાગના બે અધિકારીઓએ રોઇટર્સને જણાવ્યું હતું કે, મહિનાના મધ્યમાં લો–પ્રેશર સિસ્ટમના વિકાસને કારણે ભારતમાં ચોમાસાનો વરસાદ આ વર્ષે સપ્ટેમ્બરના અતં સુધી લંબાય તેવી શકયતા છે. ચોમાસું વિલંબિત થવાને કારણે સામાન્ય કરતાં વધુ વરસાદ ભારતના ઉનાળામાં વાવેલા ચોખા, કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ જેવા પાકોને નુકસાન પહોંચાડી શકે છે, જે સામાન્ય રીતે સપ્ટેમ્બરના મધ્યથી લણવામાં આવે છે. પાકને નુકસાન થવાથી ખાધપદાર્થેાની ફુગાવો થઈ શકે છે, પરંતુ વરસાદને કારણે જમીનમાં ભેજનું પ્રમાણ પણ વધી શકે છે, જેનાથી ઘઉં, રેપસીડ અને ચણા જેવા શિયાળુ–વાવેલા પાકોના વાવેતરને ફાયદો થાય છે.
સપ્ટેમ્બરના ત્રીજા સાહમાં લો–પ્રેશર સિસ્ટમ વિકસિત થવાની સંભાવના વધી રહી છે, જે ચોમાસું પાછું ખેંચવામાં વિલબં કરી શકે છે, ભારતીય હવામાન વિભાગના એક વરિ અધિકારીએ જણાવ્યું હતું, જેમણે આ મામલો સંવેદનશીલ હોવાથી નામ ન આપવાની માંગ કરી હતી.
ઘઉં, ખાંડ અને ચોખાના વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ઉત્પાદક ભારતે આ ખેત ચીજવસ્તુઓની નિકાસ પર વિવિધ નિયંત્રણો લાધા છે, અને અતિશય વરસાદને કારણે કોઈપણ નુકસાન નવી દિલ્હીને આ નિયંત્રણો લંબાવવા માટે પ્રેરિત કરી શકે છે.
ચોમાસું સામાન્ય રીતે જૂનમાં શ થાય છે અને દેશના ઉત્તરપશ્ચિમ ભાગોમાંથી સપ્ટેમ્બર ૧૭ સુધીમાં પીછેહઠ કરવાનું શ કરે છે, જે ઓકટોબરના મધ્ય સુધીમાં સમગ્ર દેશમાં સમા થાય છે. ૨૩ ઓગસ્ટના રોજ પૂરા થયેલા સાહ દરમિયાન ખરીફ હેઠળના વિસ્તારમાં વધુ સુધારો થયો હતો કારણ કે મોટાભાગના પાકોમાં વાવણી લગભગ પૂર્ણ થઈ ગઈ હતી. ડેટા દર્શાવે છે કે ૨૩ ઓગસ્ટ સુધી લગભગ ૧૦૬.૫ મિલિયન હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે – જે વિસ્તાર  કરતાં લગભગ ૨ ટકા વધુ છે. વરસાદ ભારતમાં ખરીફ વાવેતર વિસ્તાર માટે મુશ્કેલી ઊભી કરે તેવી શકયતા છે, ડેટા દર્શાવે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application