બાંગ્લાદેશની વચગાળાની સરકારના નવા વડા મોહમ્મદ યુનુસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને હિંસક વિરોધ વચ્ચે બાંગ્લાદેશી હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષાની ખાતરી આપી. પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું પ્રોફેસર મુહમ્મદ યુનુસ તરફથી ટેલિફોન કૉલ પ્રાપ્ત થયો. અમે પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે વિચારોની આપ-લે કરી. લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. તેમણે હિંદુઓની અને અન્ય અન્ય લઘુમતી જાતિના લોકોની સુરક્ષા, સલામતી અને સુરક્ષાની ખાતરી આપી.
પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર પણ ચિંતા વ્યક્ત કરી હતી
ગઈકાલે સ્વતંત્રતા દિવસના અવસરે પોતાના ભાષણમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ આશાવાદી છે કે હિંસાગ્રસ્ત બાંગ્લાદેશમાં સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે. 140 કરોડ ભારતીયો પાડોશી દેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. તે જ સમયે મોહમ્મદ યુનુસે રાજધાની ઢાકાના ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લઈને બાંગ્લાદેશના હિન્દુઓનો સંપર્ક કર્યો હતો. તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ તાજેતરમાં થયેલી હિંસા દરમિયાન લઘુમતીઓ પર હુમલો કરનારાઓને સજા કરવાનું વચન આપ્યું હતું.
મોહમ્મદ યુનુસે 8 ઓગસ્ટે કમાન સંભાળી હતી
બાંગ્લાદેશમાં સ્થિતિ બગડ્યા બાદ યુનુસે 8 ઓગસ્ટે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. શેખ હસીનાના અચાનક રાજીનામું આપી ભારત આવ્યા બાદ તેમણે બાંગ્લાદેશની કમાન સંભાળી છે. નોકરીઓમાં વિવાદાસ્પદ ક્વોટા પ્રણાલીને લઈને સરકાર સામે ઘાતક વિરોધ પ્રદર્શન બાદ દેશમાં અશાંતિ ફેલાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMહવે વોટ્સએપ દ્વારા કરી શકાશે ઈ-FIR, અહીં નોંધાઈ પહેલી ફરિયાદ, પોલીસે કરી કાર્યવાહી
February 24, 2025 01:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech