પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ન્યુઝીલેન્ડની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે જવાના છે. આ માહિતી ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લકસમે પોતે આપી હતી. આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે તેમની પ્રથમ સત્તાવાર મુલાકાત પર ન્યુઝીલેન્ડ પહોંચશે.
પીએમ મોદીની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વેપાર અને આર્થિક સંબંધોને નવી ઐંચાઈએ પહોંચાડવાનો છે. વધુમાં, બંને દેશો વચ્ચે તાજેતરમાં થયેલા મુકત વેપાર કરાર બાદ આ મુલાકાતને ઐતિહાસિક માનવામાં આવે છે.
ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લકસમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોતાની ખુશી વ્યકત કરી અને લખ્યું કે મને એ જાહેરાત કરતા ખૂબ જ આનદં થાય છે કે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે ન્યૂઝીલેન્ડની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત વિશ્વની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, જે ન્યુઝીલેન્ડની આર્થિક પ્રગતિ માટે ખૂબ મહત્વનું છે.
લકઝમે વધુમાં જણાવ્યું હતું કે એપ્રિલમાં થયેલા મુકત વેપાર કરારથી બંને દેશો વચ્ચેના સંબંધોને આગલા સ્તર પર લઈ જવામાં આવ્યા છે. આનાથી ન્યુઝીલેન્ડમાં રોજગારની નવી તકો ઊભી થશે, નિકાસમાં વધારો થશે અને આર્થિક વૃદ્ધિમાં વધારો થશે. વધુમાં, તે ન્યુઝીલેન્ડના વ્યવસાયો માટે ભારતમાં ૧.૪ અબજ લોકોનું વિશાળ બજાર ખોલશે.નોંધનીય છે કે મે મહિનાની શઆતમાં, ન્યુઝીલેન્ડના વેપાર અને રોકાણ મંત્રી, ટોડ મેકલેએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ કરાર થોડા વર્ષેામાં બંને દેશો વચ્ચે દ્રિપક્ષીય વેપાર બમણો કરશે. ન્યુઝીલેન્ડ સરકાર આગામી ૧૫ વર્ષમાં ભારતમાં આશરે ૨૦ બિલિયન યુએસ ડોલર (આશરે .૧.૬ લાખ કરોડથી વધુ)નું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
આ રોકાણને સરળ બનાવવા અને ઝડપી બનાવવા માટે, ભારત સરકારે એક સમર્પિત ન્યુઝીલેન્ડ સિંગલ ડેસ્ક સ્થાપિત કરવા સંમતિ આપી છે. આનાથી ન્યુઝીલેન્ડના રોકાણકારો ભારતમાં સરકારી મંજૂરીઓ વધુ ઝડપથી અને સરળતાથી મેળવી શકશે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ન્યુઝીલેન્ડે એપ્રિલ ૨૦૨૬માં આ ઐતિહાસિક મુકત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર ફકત વેપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ઘણો વ્યાપક છે. તેનાથી બંને દેશોના ઉત્પાદકો, ખેડૂતો, નાના વ્યવસાયો, મહિલા ઉધોગસાહસિકો, વિધાર્થીઓ અને કુશળ વ્યાવસાયિકોને સીધો ફાયદો થશે.તે બજાર અકસેસ, કૃષિ ઉત્પાદકતા, રોકાણ, પ્રતિભા ગતિશીલતા, રમતગમત, પર્યટન અને લોકો–થી–લોકોના સંબંધોને પ્રોત્સાહન આપશે.