સીદસર ગામે અકસ્માતે કૂવામાં પડી ગયેલા આધેડનું મૃત્યુ

  • May 29, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

​​​​​​​
કલ્યાણપુર તાલુકાના ગામે રહેતા બાપાલાલસિંહ બહાદુરસિંહ જાડેજા નામના 53 વર્ષના આધેડ ગઈકાલે બુધવારે પોતાની વાડીએ પાણી ભરવા જતાં અકસ્માતે કુવામાં પગ લપસી જતા તેઓ કુવામાં પડી ગયા હતા. આથી સ્થાનિક રહીશો દ્વારા ખંભાળિયા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્ટાફના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત બાદ બાપાલાલસિંહ જાડેજાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ વીરભદ્રસિંહ બહાદુરસિંહ જાડેજા (ઉ.વ. 50, રહે. સીદસરા) એ કલ્યાણપુર પોલીસમાં જરૂરી નોંધ કરાવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application