ખંભાળીયાની તેલી નદીની અને ઘી નદીના તટમાંથી મોટા પ્રમાણમાં દબાણો દુર કરવામાં આવ્યા છે, નગરપાલિકા તંત્રએ આપેલી નોટીસો બાદ દબાણ કર્તાઓએ સ્વેચ્છિક રીતે પોતાના દબાણો હટાવી લીધા છે, ધરમપુર વિસ્તારમાં મહાપ્રભુજીની બેઠક પાસેથી પસાર થતી નદીના વ્હેણમાં પાકા મકાનો અને વંડા જેવા દબાણો દુર કરવામાં આવ્યા છે, વર્ષો જુની બાલચીયા બજાર પણ હટાવી દેવામાં આવી છે.
છેલ્લા ચાર દિવસથી ખંભાળીયા તંત્ર દ્વારા દબાણો હટાવવાની કામગીરી ચાલુ છે, ખંભાળીયા તેલી નદીના બન્ને કાંઠે અંદાજીત ૨૮ કરોડના ખર્ચે બોકસડ્રેનેજ નાખવામાં આવશે, જે અંગે નડતરરૂપ ૯૦ જેટલા દબાણકારો પાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હતી, જે બાદ અમુક દબાણકર્તાઓએ જાતમેળે દબાણો હટાવી લીધા હતાં, ત્યારબાદ શુક્રવાર બપોરથી ખંભાળીયા તંત્ર દ્વારા ડીમોલેશનની કામગીરી શ કરવામાં આવી હતી, હજુ પણ ડીમોલેશન ચાલુ છે.
ખંભાળીયા તંત્ર દ્વારા તેલી નદી કાંઠે કરાયેલા દબાણો પર બુલ્ડોઝર ફેરવાયું છે, છેલ્લા ચાર દિવસથી ડીમોલેશનની કામગીરી ચાલુ છે, આશરે ૧૫ હજાર ફુટ જેટલી સરકારી જગ્યા ખાલી કરવામાં આવી છે તેમજ ૫૦ જેટલા બાંધકામો પર તંત્રનું બુલ્ડોઝર ફરીવળ્યું છે, અગાઉ તંત્ર દ્વારા તેલી નદી અને ઘી નદી કાંઠે કરાયેલા દબાણો પર તંત્રએ દબાણકારોને નોટીસો પાઠવી હતી તે બાદ જે દબાણકર્તાઓએ દબાણો હટાવ્યા નથી, ત્યાં બુલ્ડોઝર ફેરવાયું છે, ખંભાળીયા પાલિકા દ્વારા ટાઉનહોલથી ખામનાથ કેનેડી બ્રીજ સુધીના રસ્તામાં બન્ને તરફ પાણીના નિકાલ સાથે રસ્તાને પહોળો કરવાની કામગીરી ચાર દિવસથી ચાલી રહી છે.
જેમાં ટાઉનહોલથી ડાબી સાઇડમાં ખામનાથ પુલ સુધીની જગ્યા પરના દબાણો હટાવીને કામગીરી થયાં પછી ટાઉનહોલની જમણી બાજુથી કેનેડી બ્રીજ સુધી જતા રસ્તાની સાઇડમાં પણ દબાણો હોય જેથી નોટીસો આપ્યા બાદ ચાર દિવસથી જેસીબી મશીન દ્વારા નિયત જગ્યામાં આવેલા મકાનો, દુકાનો પર બુલ્ડોઝર ચાલુ કરીને રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી ચાલી રહી છે, જેથી રસ્તાની બન્ને તરફની કાર્યવાહી પૂર્ણ થાય.
છેલ્લા ચાર દિવસમાં ખંભાળીયા તંત્ર દ્વારા મસમોટું ડીમોલેશન તેલી નદીના કાંઠે કરવામાં આવ્યું છે, આશરે ૧૫ હજાર ફુટ જગ્યા અને ૫૦ જેટલા બાંધકામો પર તંત્રનું બુલ્ડોઝર ચાલ્યું છે, હજુ આજે પણ ગેરકાયદે કરાયેલા બાંધકામો પર બુલ્ડોઝર ફરી વળશે.