શહેરમાં ગંદકી, રોગચાળા સામે પગલા લેવા અનુરોધ: વોર્ડવાઇસ નિયમિત સફાઇ થાય તે જોવા અને વરસાદી પાણીના ખાડામાં ડીડીટી છાંટવા સૂચના
જામનગરમાં કોલેરાના કેસો નોંધાઈ ચુક્યા છે. સિઝનલ રોગચાળાની સ્થિતિમાં હાલ ચોમાસામાં શહેરમાં ગંદકીની સ્થિતિ નિવારવા સફાઈ કામગીરીની સમિક્ષા માટે મેયરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં હાલના ચોમાસા અને રોગચાળાના સંદભમાં વિશેષ સુચનાઓ આપવામાં આવી હતી.
કોર્પોરેશનના મીટીંગ હોલમાં મેયર વિનોદભાઈ ખીમસુયર્નિા અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સોલીડવેસ્ટ વિભાગના ક્ધટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા, ડે. ઈજનેર કેતન કટેશીયા તથા શહેરના તમામ વોર્ડના સેનેટરી ઈન્સ્પેક્ટર અને સેનેટરી સબ ઈન્સ્પેક્ટરો તેમજ સોલીડ વેસ્ટ વિભાગના ઝોનલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં મેયરે કાયમી સફાઈ કામદારો યુનિફોર્મમાં જ સજ્જ રહે તેવી, જે કચરાના પોઈન્ટ બંધ થયા હોય તે ફરી શ ન થાય અને બાકીના બંધ કરવાના પોઈન્ટ બંધ થાય તે માટે, ડોર-ટુ-ડોર કચરો ન લેવાતો હોવાની ફરિયાદ નિવારવી, જાહેર સ્થળોએ ન્યુસન્સ ફેલાવતા ધંધાર્થીઓ અને અન્ય આસામીઓ સામે પગલા લેવા, વરસાદી પાણીના ખાડામાં દવાનો છંટકાવ કરવા, શાળાઓ- આંગણવાડીઓ પાસે વિશેષ સફાઈ હાથ ધરવા સુચના આપી હતી.
આ બેઠકમાં ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સેનિટેશન કમિટીના ચેરપર્સન જશુબા ઝાલા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદીએ નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી, કહ્યું- દુનિયામાં આતંકવાદને કોઈ સ્થાન નથી
September 30, 2024 08:54 PMઉના અને ગીર ગઢડા તાલુકાના જીવાદોરી સમાન રાવળ ડેમ ઓવરફ્લો
September 30, 2024 07:16 PMજૂનાગઢ : તોફાની વરસાદથી ભવનાથ તળેટીમાં નુકસાન
September 30, 2024 07:15 PMશું ગાંધી ભૂમિને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર સુધરાઇની?!
September 30, 2024 07:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech