BREAKING NEWS

મધ્યપ્રદેશઃ છિંદવાડામાં કાળમુખો અકસ્માત: CMના કાર્યક્રમમાંથી પરત ફરતી બસ પલટી, 10 ના મોત અને 30થી વધુ ઘાયલ

  • March 26, 2026 10:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લાના ઉમરાનાલા વિસ્તારમાં ગુરુવારે સાંજે સાડા છ વાગ્યાની આસપાસ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. MP28 P 0321 નંબરની એક ખાનગી બસ અને પિકઅપ વાહન વચ્ચે સિમરિયા પાસે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બંને વાહનોના ડ્રાઈવર સહિત 10 લોકોએ સ્થળ પર જ જીવ ગુમાવ્યા હતા.


મળતી માહિતી મુજબ આ બસમાં કુલ 47 મુસાફરો સવાર હતા. આ તમામ લોકો છિંદવાડા પોલીસ લાઈન ખાતે આયોજિત 'હિતગ્રાહી સંમેલન' માં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ ગ્રામીણોને લઈને જઈ રહેલી બસ કાળનો કોળિયો બની હતી.


​​​​​​​આ અકસ્માતમાં 30 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તો પૈકી એક મહિલા અને એક માસૂમ બાળકનો હાથ કપાઈને શરીરથી અલગ થઈ ગયો હતો, જ્યારે અનેક મુસાફરોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. મૃતકોમાં 6 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ડો. મોહન યાદવે આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના આશ્રિતોને 4-4 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને 1-1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application