પોરબંદરના જુદા-જુદા વિસ્તારને સ્વચ્છ કરતા ૧૩૨ જેટલા કોન્ટ્રાકટબેઝ સફાઇ સૈનિકોને મનપાએ છૂટા કરી દીધા બાદ કામ પર નહીં લેતા તેઓના ઉપવાસ આંદોલન ચાલી રહ્યા છે ત્યારે સામાજિક અગ્રણીઓ પણ તેમની મદદે ગયા છે અને તેઓને કામ પર લેવાની માંગ કરી રહ્યા છે.
શહેરની તંદુરસ્તી જાળવવા અને નાગરિકોને સ્વચ્છ પર્યાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સતત સેવા આપતા ૧૩૨ જેટલા સફાઈ કામદારોને ફરીથી નોકરી ઉપર પરત લેવા માટે સામાજિક અગ્રણી અનિલ બથિયા એ તેમની ટીમ સાથે મુલાકાત લઇ અને માંગ કરી છે.
શહેરના વિકાસ અને નાગરિકોના આરોગ્ય માટે સફાઈ કામદારોનું યોગદાન અગત્યનું છે. તેમનું નોકરીમાંથી વિમુક્ત થવું માત્ર તેમના પરિવારજનો માટે નહીં પણ સમગ્ર શહેર માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. એવી સ્થિતિમાં તત્કાલ અસરથી આ તમામ કામદારોને ફરીથી નિયુક્ત કરવામાં આવે તેવી મજબૂત માંગણી અનિલ બથીયા દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMન્યારી ડેમ નજીક અકસ્માત સર્જી નાસી રહેતા કારચાલકનો પીછો કરી લોકોએ દંડાવાળી કરી, જુઓ Video...
April 28, 2025 05:39 PMજામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દ્વારા મહારેલીનું આયોજન
April 28, 2025 05:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech