ખંભાળિયા: નવાપરા ગણપતિ મહોત્સવમાં બર્ફાની બાબા અમરનાથના અલભ્ય દર્શન

  • September 17, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

- આજે ગણેશ વિસર્જનનું આયોજન -


ખંભાળિયાના પોસ વિસ્તાર નવાપરા શેરી નં. 6 ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવાપરા યુવક મંડળ દ્વારા ગણેશોત્સવના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ આયોજન દરમિયાન રવિવારે સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી બર્ફાની બાબા અમરનાથની ગુફાના દર્શન યોજવામાં આવ્યા હતા. આકર્ષક રોશની તેમજ સંગીતસભર આ દર્શનનો લહાવો લઈને લોકોએ ધન્યતા અનુભવી હતી. આ સાથે ગઈકાલે સોમવારે સાંજે ફળના અન્નકૂટ દર્શન યોજાયા હતા. આજે મંગળવારે સાંજે ગણપતિ વિસર્જનના પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application