દેશની રાજધાની દિલ્હીમાં શિયાળાના આગમનની સાથે જ પ્રદૂષણને લઈને રાજકીય ગરમાવો શરૂ થઈ જાય છે. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે પ્રદૂષણને લઈને આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ દિલ્હીમાં વધતા જતાં પ્રદૂષણની સમસ્યા માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ગણાવી છે.
તેમણે કહ્યું કે રાજધાનીમાં પ્રદૂષણની સમસ્યા વધુ છે જેનું કારણ કેજરીવાલ સરકારની નિષ્ફળતા છે. સચદેવાએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં કેજરીવાલ સરકારે દિલ્હીમાં પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કોઈ નક્કર પગલાં લીધાં નથી. AAP સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે દિલ્હીમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી, જેના કારણે યમુના નદીમાં ઝેરી ફીણના થર દેખાયા છે.
સચદેવાએ વધુમાં જણાવ્યું હતું કે કેજરીવાલ સરકારના કાર્યકાળ દરમિયાન દિલ્હીમાં દરરોજ 3,100 ટન કચરો ટ્રીટમેન્ટ વગર બહાર કાઢવામાં આવી રહ્યો છે. તેમણે કેજરીવાલ સરકારને પણ પરાળ સળગાવવાની સમસ્યા પર ઘેરી હતી અને કહ્યું હતું કે પંજાબમાં ધૂળ બાળવાની ઘટનાઓ દિલ્હીમાં વધતા પ્રદૂષણ માટે જવાબદાર છે.
સીએમ આતિશીએ અન્ય રાજ્યોને ગણાવ્યા જવાબદાર
આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીમાં પ્રદૂષણ માટે ભાજપને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સાથે યમુનામાં જળ પ્રદૂષણ પણ વધી રહ્યું છે, જેનું મુખ્ય કારણ ભાજપની ગંદી રાજનીતિ છે. આતિશીએ દાવો કર્યો હતો કે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પરાળ સળગાવવાની ઘટનાઓમાં 50% ઘટાડો થયો છે.
આનંદ વિહાર ISBTનું ઉદાહરણ આપતા આતિશીએ કહ્યું કે દિલ્હીમાં CNG અને ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવી રહી છે, જ્યારે ડીઝલ બસો પાડોશી રાજ્યો યુપી અને હરિયાણામાંથી આવી રહી છે, જે પ્રદૂષણમાં વધારો કરી રહી છે.
તેમણે ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ઈંટના ભઠ્ઠાઓ અને થર્મલ પાવર પ્લાન્ટને પણ પ્રદૂષણના મુખ્ય કારણો ગણાવ્યા હતાં. યમુના નદીમાં વધી રહેલા ફીણના થર અને જળ પ્રદૂષણ પર બોલતા તેમણે કહ્યું કે હરિયાણામાંથી 165 MGD ઔદ્યોગિક કચરો અને ઉત્તર પ્રદેશમાંથી 55 MGD દરરોજ યમુના નદીમાં છોડવામાં આવે છે, જેના કારણે જળ પ્રદૂષણ વધી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી સરકાર આ સમસ્યાના ઉકેલ માટે સતત કામ કરી રહી છે અને જો ભાજપ આ માટે કડક પગલાં નહીં ભરે તો જરૂર પડશે ત્યારે સુપ્રીમ કોર્ટનો દરવાજો પણ ખખડાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજય સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ...આટલા હજાર મળશે બોનસ
October 21, 2024 07:02 PMજામનગરના બેડી ગેટ સહિતના વિસ્તારોમાં મનપાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરાયુ
October 21, 2024 06:31 PMજામનગરમાં લાંબા સમયથી વસવાટ કરતા મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા કરવા ચોથના વ્રતની ઉજવણી કરાય
October 21, 2024 06:21 PMધનતેરસના આ 3 શુભ મુહર્તમાં કરો ખરીદી, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ
October 21, 2024 05:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech