સલાયામાં આગામી 26 તારીખે કીટલીવાલે બાબાનો ભવ્ય ઉર્ષ શરીફ

  • October 21, 2024 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયામાં આવતી તારીખ 26 નાં શનિવારે હજરત પીર રોશન ઝમીર સૈયદ ગુલામ હુશેન કીટલી વાલે બાબા તેમજ જાહિરપીર વલીનો ભવ્ય ઉર્ષ ઉજવામાં આવશે. જેમાં  24 તારીખ અને 25 તારીખના રોજ હુસેની ચોકમાં તકરીર નો શાનદાર કાર્યક્રમ રાખેલ છે. અને તારીખ 26 નાં શનિવારે 11 વાગ્યે ન્યાઝ અને 2.30 વાગ્યે ભવ્ય સંદલ અને રાતે હિન્દુસ્તાનના મશહૂર કવાલ ચાંદ કાદરી અફઝલ ચિશ્તી દ્વારા શાનદાર કવાલી રજૂ કરવામાં આવશે. આ ઉર્ષ શરીફમાં સામેલ થવા સૈયદ મોહમ્મદ હનીફ બાપુ શિરાઝી અને સૈયદ અબ્દુલહક બાપુ શીરાઝી (અબુ ડાડા) દ્વારા સૌને આમંત્રણ આપવામાં આવેલ છે.આં તમામ ઉર્ષની તૈયારી શિરાજી અલમદાર ઉર્ષ કમિટી સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કરવામાં આવી રહી છે. ઠેર ઠેર શેરીઓમાં શણગારો કરવામાં આવી રહ્યા છે. આ ઉર્શમાં આજુબાજુના ગામોથી મોટી સંખ્યામાં લોકો આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application