આગામી તા.12 થી 14 સપ્ટેમ્બર સુધી કાલાવડથી રણુજા જવાનો અને રણુજાથી હરિપર આવવાનો રસ્તો બંધ રહેશે
રણુજા મંદિર ખાતે લોકમેળો યોજાનાર હોય લોકોની સલામતી અને ટ્રાફિકનું નિયમન જાળવવાના હેતુથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
જામનગર તા.09 સપ્ટેમ્બર, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વોડીસાંગ, રણુજા રામદેવજી મંદિરના સાંનિધ્યમાં લોકમેળો યોજાનાર હોવાથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેનાર હોય લોકોની સલામતી અને ટ્રાફીકનું નિયમન જળવવાના હેતુથી રણુજા આવવા જવા માટેનો રસ્તો એક માર્ગીય કરવાની જિલ્લા પોલીસ અધિક્ષકની દરખાસ્તને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભાવેશ એન ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ આગામી તા.12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન કાલાવડથી રણુજા જવા માટે કાલાવડથી રણુજાનો રસ્તો બંધ કરવામાં આવશે માત્ર રણુજા મેળામાંથી કાલાવડ આવવા માટે રસ્તાનો ઉપયોગ કરી શકાશે. તેમજ રણુજાથી હરિપર(ખંઢેરા) આવવા માટેનો રસ્તો બંધ કરવામાં આવશે ફક્ત હરિપરથી રણુજા જવા માટે આ રસ્તાનો ઉપયોગ થઈ શકશે.
સરકારી વાહનો,પોલીસના વાહનો, ઇમરજન્સી વાહનો, એમ્બ્યુલન્સ તથા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech