કેસી ત્યાગીએ જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું. અંગત કારણોસર કેસી ત્યાગીએ પ્રવક્તા પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીવ રંજન પ્રસાદ હવે જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા હશે. પાર્ટીના મહાસચિવ અફાક અહમદ ખાને રવિવારે એક પત્ર જારી કરીને આની જાણકારી આપી છે.
જેડીયુના જનરલ સેક્રેટરીએ પત્ર જારી કર્યો
જેડીયુના મહાસચિવ અફાક અહેમદ ખાને જારી કરેલા પત્રમાં લખ્યું છે કે 'જનતા દળ (યુનાઈટેડ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમાર (મુખ્યમંત્રી, બિહાર)એ રાજીવ રંજન પ્રસાદને રાષ્ટ્રીય પ્રવક્તા પદ પર નિયુક્ત કર્યા છે. પ્રવકતા પદ પર પાર્ટીમાં રહેલા કેસી ત્યાગીએ અંગત કારણોસર પાર્ટીના પ્રવક્તા પદેથી રાજીનામું આપ્યું છે.
વિધાનસભા ચૂંટણી પહેલા JDUને આંચકો
કેસી ત્યાગીને જેડીયુના દિગ્ગજ અને શક્તિશાળી નેતા માનવામાં આવે છે. તે CM નીતિશની ખૂબ નજીક છે. દરેક મુદ્દા પર ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરે છે. તે જ સમયે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય પ્રવક્તા પદ પરથી કેસી ત્યાગીના રાજીનામાને પાર્ટી માટે એક ઝટકો માનવામાં આવી રહ્યો છે. એક તરફ સીએમ નીતિશ આ દિવસોમાં પાર્ટીમાં ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યા છે. બીજી તરફ પાર્ટી પદાધિકારીઓમાં સતત ફેરફાર કરીને સંગઠનને મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ કેસી ત્યાગીનું રાજીનામું પાર્ટી માટે નુકસાનકારક છે. થોડા દિવસો પહેલા કેસી ત્યાગીએ ઇઝરાયેલ મુદ્દે વિપક્ષ સાથે હાથ મિલાવ્યા હતા. પીએમ મોદીને સલાહ આપતાં તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ઈઝરાયેલને આપવામાં આવતી મદદ તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ. હવે તેમના રાજીનામાની વાત સામે આવી છે. જેના કારણે જેડીયુને લઈને રાજકીય વર્તુળોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech