કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિર પર થયેલા હુમલાને લઈને નવો વિવાદ ઉભો થયો છે. હવે ભારત સરકાર પણ આ ઘટનાને લઈને એલર્ટ મોડ પર છે. આ સાથે જ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પણ હિંસાની નિંદા કરી છે. દિવાળીના 3 દિવસ પહેલા જ કેનેડાના વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર કેનેડાના સૌથી મોટા ઈમિગ્રન્ટ સમૂહ હિન્દુ કેનેડિયનોની સાથે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ટોળું બ્રેમ્પટન સ્થિત મંદિર પરિસરમાં હાજર લોકો પર હુમલો કરી રહ્યું છે. ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ વીડિયો શેર કર્યો છે. તેણે લખ્યું, 'કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ આજે લક્ષ્મણ રેખા પાર કરી, બ્રામ્પટનમાં હિંદુ સભા મંદિર સંકુલમાં ભારતીય-કેનેડિયન ભક્તો પર ખાલિસ્તાનીઓએ કરેલા હુમલાએ બતાવ્યું છે કે કેનેડામાં ખાલિસ્તાની હિંસક ઉગ્રવાદ કેટલો ઊંડો અને ખતરનાક છે.
ટ્રુડોએ હિંસા પર શું કહ્યું?
ટ્રુડોએ આ ઘટનાની નિંદા કરી અને ટ્વિટર પર લખ્યું, બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં હિંસાની આજની ઘટના અસ્વીકાર્ય છે. દરેક કેનેડિયનને સુરક્ષિત વાતાવરણમાં મુક્તપણે તેના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા છે. સમુદાયની સુરક્ષા કરવા અને આ ઘટનાની તપાસ કરવા માટે તાત્કાલિક પગલાં લેવા બદલ પીલ પ્રાદેશિક પોલીસનો આભાર.
દિવાળી પર આપવામાં આવેલ સંદેશ
પીએમ ટ્રુડોની ઓફિસમાંથી 31 ઓક્ટોબર એટલે કે દિવાળીના રોજ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'દિવાળી એ બુરાઈ પર સારાની, અજ્ઞાન પર જ્ઞાનની જીતનો ઉત્સવ છે. આ દિવસે પરિવારો મંદિરોમાં પ્રાર્થના કરવા, ભેટ આપવા અને દેશભરમાં તહેવારોની ઉજવણી કરવા માટે ભેગા થાય છે. ઘરોમાં મીણબત્તીઓ અને દીવા પ્રગટાવવામાં આવે છે. આકાશમાં ફટાકડા ફોડવામાં આવે છે. આ આશાનો દિવસ છે અને દિવાળીની રોશની આપણને અંધકારને હરાવવા અને હેતુ શોધવા માટે પ્રોત્સાહિત કરે છે.
તેમણે કહ્યું હતું કે, દિવાળી ખાસ કરીને હિન્દુ કેનેડિયનો માટે મહત્વપૂર્ણ છે. તે કેનેડાનું સૌથી મોટું અને સૌથી વધુ વૈવિધ્યસભર ઇમિગ્રન્ટ જૂથ છે. નવેમ્બરમાં કેનેડામાં હિન્દુ હેરિટેજ મહિનાની ઉજવણીમાં અમારી સાથે જોડાઓ. અમે હિંદુ કેનેડિયનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા હંમેશા તેમની સાથે ઊભા છીએ, જેથી તેઓ મુક્તપણે તેમના ધર્મનું પાલન કરી શકે.
ભારતે શું કહ્યું?
ભારતીય વાણિજ્ય દૂતાવાસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ટોરોન્ટો નજીક બ્રામ્પટનમાં હિન્દુ સભા મંદિરના સહયોગથી આયોજિત કોન્સ્યુલર કેમ્પમાં અમે ભારત વિરોધી તત્વો દ્વારા હિંસા જોઈ. તેમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, કેનેડામાં હાલની સુરક્ષા સ્થિતિને જોતાં, કેનેડિયન સત્તાવાળાઓને પહેલાથી જ આ કાર્યક્રમો માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવા વિનંતી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech