જૂનાગઢમાં સાધુઓના વિવાદ મામલે કલેકટર દ્રારા ત્રણ મંદિરોમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે પરંતુ આ નિર્ણયમાં કાચું કપાયાની રાવ ઉઠી રહી છે. કલેકટર કચેરીમાં ફરજ બજાવતા મહિલા નાયબ મામલતદારની તાત્કાલિક માંગરોળ ખાતે બદલી કરવામાં આવતા રેવેન્યુ કર્મીઓમાં જ ગણગણાટ શ થયો છે. જોકે તત્રં દ્રારા વહીવટી અને જાહેર સેવાના હિતાર્થે બદલી કરી હોવાનો ઉલ્લ ેખ કર્યેા છે પરંતુ એકા એક એક જ કર્મિની બદલીથી મામલો ચર્ચાના ચકડોળે ચડો છે.
ગીરનાર અંબાજી મંદિર, ગુ દત્તાત્રેય શિખર, ભીડભંજન મહાદેવ મંદિર આ ત્રણ મંદિરો પર કલેકટર દ્રારા વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. વહીવટદાર ની નિમણૂક મુદ્દે વિવાદ શ થયો છે. જેમાં ગુ દત્તાત્રેય મંદિરનો કોઈ પણ વિવાદ નથી માત્ર ને માત્ર અંબાજી મંદિર અને ભીડભંજન મંદિરમાં વિવાદ હોવા છતાં પણ કલેકટર દ્રારા ગુદત્તાત્રેય મંદિર પર પણ વહીવટદાર નિમણૂક કરી દેવામાં આવી છે જેથી આ મુદ્દે કાચું કપાયાની ફરિયાદો ઉઠી રહી છે. અગાઉ મહેશ ગીરી બાપુ દ્રારા પણ તંત્રને નિર્ણય મામલે ફેર વિચારણા કરે તેવી માંગ કરી હતી. તા.૨૭ ના વહીવટદાર ની નિમણૂક બાદ ૨૮ ના કલેકટર કચેરીની હીજરતી શાખામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા આર.આર સોલંકીની નાયબ મામલતદાર એટીવીટી માંગરોળ ખાતે બદલી કરી નાખતા ચર્ચા શ થઈ છે. સમગ્ર મામલે દોષનો ટોપલો મહિલા નાયબ મામલતદાર પર નાખી દેવામાં આવ્યો હોવાનો પણ ગણગણાટ અધિકારીઓ અને કર્મચારીઓમાં થઈ રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech