જૂનાગઢ જિલ્લ ામાં ખાસ કરીને મહેસુલ વિભાગ સંબંધીત તમામ પત્ર વ્યવહાર ઈ-સરકારના માધ્યમથી થઈ રહ્યો છે. જિલ્લ ા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ વહીવટને પેપરલેસ ઝડપી અને સરળ બનાવવા માટે ટેકનોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર આપી રહ્યા છે. તેમણે જિલ્લ ાના મહેસુલ વિભાગના અધિકારી કર્મચારીઓને ઈ-સરકાર પ્રોજેક્ટના અમલ માટે તાલીમબદ્ધ કર્યાં સાથે જ પેપરલેસ અને ઝડપી વહીવટી પ્રક્રિયા માટે પ્રોત્સાહિત પણ કયર્િ હતા. જેના પરિણામે પત્ર વ્યવહારમાં બિનજરૂરી વિલંબ ટળ્યો છે.અને પ્રજાલક્ષી કામોને નવો વેગ મળ્યો છે.
આમ, જિલ્લ ા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની વહીવટને પેપરલેસ, ઝડપી અને સરળ બનાવવાની નેમને સફળતા મળી છે અને જૂનાગઢ જિલ્લ ો મહેસુલી કામગીરી ઈ-સરકાર મારફત કરવામાં રાજ્યમાં ટોચના સ્થાને છે. જિલ્લ ામાં ઈ-સરકાર પ્રોજેક્ટની અમલવારી માટે કલેકટરએ પ્રાંત અને મામલતદાર કચેરીના કાગળોને સ્કેનિંગ માટે સ્કેનર સહિતના સાધનોની ત્વરિત ફાળવણી પણ કરી હતી. ઉપરાંત જિલ્લ ાની મહેસુલ સિવાયની અન્ય સરકારી કચેરીઓમાં ઈ-સરકાર થકી પત્ર વ્યવહાર કરવામાં તે માટે જરૂરી સૂચનાઓ કલેકટરે આપી છે.
ઉલ્લ ેખનીય છે કે, ઈ-સરકારમાં અધિકારીની સહી પેનથી નહીં પણ ઈ સાઈન મારફતે થાય છે. ઉપરાંત ઈ-સરકાર એપ્લિકેશનના માધ્યમથી વહીવટી પ્રક્રિયા પારદર્શી બને છે, સાથે જ પેન્ડિંગ કાગળોનું મોનિટરિંગ તથા સમીક્ષા કરવી સહેલું બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech