દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી, લાખોની સંખ્યામાં આવે છે લોકો, નજારો હોય છે અદભૂત

  • August 20, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી 26મી ઓગસ્ટને સોમવારે ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના અવસર પર દેશ અને દુનિયાના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આ પવિત્ર તહેવાર પર  મથુરા, વૃંદાવનમાં અલગ જ ભવ્યતા જોઈ શકાય છે. પરંતુ ભગવાન કૃષ્ણની નગરી દ્વારકામાં કંઈક અલગ નજારો જોવા મળે છે.


જન્માષ્ટમીના થોડા દિવસો પહેલા દ્વારકા નગરીને સુંદર રીતે શણગારવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ ભદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો. શું તમે જાણો છો? દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ કેવી રીતે ઉજવવામાં આવે છે.


ઉજવણી પૂર્વેની તૈયારીઓ

દ્વારકા ભારતના પશ્ચિમ રાજ્ય ગુજરાતમાં આવેલું છે. આહીં જન્માષ્ટમીનો તહેવાર ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે અને સમગ્ર દેશમાંથી લાખો લોકો દર્શન માટે આવે છે.


આભૂષણોથી શણગાર

જન્માષ્ટમીનાં દિવસે ભગવાન કૃષ્ણની મૂર્તિને કિંમતી આભૂષણોથી શણગારવામાં આવે છે.સાતમની રાત્રે રાત્રે ભગવાન કૃષ્ણને ભવ્ય  આભૂષણોથી શણગારવામાં આવે છે અને મંદિર રાત્રે 2 વાગ્યે બંધ થાય છે.


આ પછી સવારે 7 વાગ્યે મંગળા આરતીથી ભગવાન કૃષ્ણની પૂજા શરૂ થાય છે. તેમને ભોગ ચઢાવવામાં આવે છે અને પડદો હટાવવામાં આવે છે. આ દ્રશ્ય જોવા માટે દૂર-દૂરથી લોકો દ્વારકા આવે છે. અહીં દહીં હાંડી, આનંદની સવારી અને તમામ પ્રકારના ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application