જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે, લાંબા સમયથી કાનૂની કાર્યવાહી બાદ લંડન કોર્ટનો નિર્ણય

  • March 30, 2023 10:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

જામનગરના અતિ ચકચારી વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં આરોપી જયેશ પટેલને ભારત લાવવામાં આવશે. લાંબા સમયથી કાનૂની કાર્યવાહી બાદ લંડન કોર્ટે આ નિર્ણય કર્યો છે. મહત્વનું છે કે, જામનગરના હત્યા અને જમીન કૌભાંડના કેસમાં ફરાર જયેશ પટેલ લંડનમાં ઝડપાયા બાદ જેલમાં બંધ હતો. 


મળતી માહિતી પ્રમાણે જામનગરના અતિ ચકચારી ગુજસીટોક પ્રકરણમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કુખ્યાત ભુમાફિયા જયેશ પટેલને ભારત મોકલવા માટે લંડન કોર્ટ દ્વારા નિણર્ય લેવાયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે જયેશ પટેલના પ્રત્યાર્પણ માટે જામનગર પોલીસ દ્વારા લાંબા સમયથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જામનગર પોલીસ છેલ્લા કેટલાય સમયથી મહેનત કરી રહી છે.  જે કાનૂની ગૂંચ ઉકેલાયા બાદ હવે આરોપી જયેશને ભારત લાવામાં આવશે. જામનગરમાં વકીલ કિરીટ જોશીની  હત્યા અને જમીન કૌભાંડ સહિત થોકબંધ ગુન્હાઓ નોંધાયા છે. ત્યારે હવે જામનગરના ભૂમાફિયા અને ગેંગસ્ટર જયેશ પટેલને ભારત પ્રત્યાર્પણ કરવાના કેસની સુનાવણી લંડનની કોર્ટમાં પૂર્ણ થઈ ગઈ છે હવે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને ગુજરાત પરત લવાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application