જામનગર જિલ્લાના ૩૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓ ચાંદીપુરા વાયરસ સામે લડવા થયા તાલીમબદ્ધ

  • July 20, 2024 04:24 PM 

જામનગર જિલ્લાના ૩૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓ ચાંદીપુરા વાયરસ સામે લડવા થયા તાલીમબદ્ધ

જામનગર તા.૨૦ જુલાઈ, જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો અટકાવવા જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા જરૂરી તમામ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ તથા ગુરુ ગોવિંદસિંઘ જનરલ હોસ્પિટલના આશરે 300 જેટલા આરોગ્ય કર્મીઓ તથા નિષ્ણાંતોને ચાંદીપુરાના રોગના લક્ષણો, તેને ફેલાતો અટકાવવા લેવાના થતા પગલાંઓ તથા સારવાર તેમજ અન્ય આનુસંગિક બાબતોથી વાકેફ કરાયા હતા તેમજ તે અંગેની જરૂરી તાલીમ ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા આપવામાં આવી હતી. આ તાલીમમાં સંસ્થાના તજજ્ઞો, SR, રેસીડેન્ટ ડોક્ટર તથા જામનગર, દેવભૂમિ દ્વારકા તથા જામનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર તથા અન્ય સ્ટાફ ઉપસ્થિત રહેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application