જામનગર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જ્યોતિબા ફુલે ની જન્મ જયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

  • April 11, 2024 05:01 PM 

જામનગર જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જ્યોતિબા ફુલે ની જન્મ જયંતી નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના લાલપુર શિવાજી નગર માં સમાજ સુધારક અને સત્યશોધક સમાજના સંસ્થાપક મહાત્મા જ્યોતિબા ફુલેની જન્મજયંતી હોય પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયાજી ની સુચના અનુસાર આપણા જામનગર જિલ્લા ભાજપ ના યશસ્વી અઘ્યક્ષ શ્રી રમેશભાઈ મુગરા સાહેબ તથા લોકસભા સંયોજક ડો વિનોદભાઈ ભંડેરી તથા જામનગર જીલ્લાના અ જા મોરચા પ્રભારી કલ્પેશભાઈ વાધેલા નાં માર્ગદર્શન મુજબ લાલપુર શિવાજી નગર રામદેવપીર માં જ્યોતિબા ફુલે ને ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ  યોજાયો દરેક આગેવાનો તથા અનુસુચિત જાતિ લોકો એ પુષ્પાંજલિ અર્પણ કરી હતી ઉપસ્થિત જીલ્લા ભાજપ અ જા મોરચા પ્રમુખ ચાવડા હીરજીભાઈ તથા તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઈ કરગીયા તથા સરપંચ જયેશભાઇ તરૈયા તથા લાલપુર તાલુકા અનુસુચિત જાતિ સમાજ પ્રમુખ કારાભાઈ ચાવડા તથા જીલ્લા લીગલ સેલ કન્વીનર ઘર્મેશભાઈ ઘમસાણિયા તથા તાલુકા ભાજપ અ જા મોરચા મંહામંત્રી ભરતભાઈ મકવાણા તથા તાલુકા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ આસિફભાઈ શેખ તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ અતુલગીરી ગોસ્વામી તથા ગ્રામ પંચાયત સભ્ય મચ્છાભાઈ વકાતર તથા ગ્રામ પંચાયત સભ્ય રાજુભાઇ ડાભી તથા દેવશીભાઇ પરમાર તથા હીરાભાઈ ગોહિલ તથા પાલાભાઈ ગોહિલ તથા મોટીસંખ્યામાં અનુસુચિત સમાજ ના લોકો જોડાયા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application