જામનગરમાં પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટેના વિકેન્ડ બેચનો પ્રારંભ

  • August 12, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની સંસ્થા બોધીસત્વ ટ્રસ્ટ દ્વારા આવનારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે વર્ગો શરુ કરેલા છે, જેનો મંગલ પ્રારંભ ગઈકાલથી કરવા માં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે જામનગર શહેર ના એસ.સી.એસ.ટી. સેલના પ્રો. નાયબ પોલીસ અધિક્ષક નૈનાબેન ગોરડીયા ઉપસ્થિત રહેલા હતા. જેઓની સાથે જામનગર પોલીસ સ્ટાફના એ.એસ.આઈ. તરુણ ચાવડા તથા મરીન કમાન્ડો જયસુખભાઈ વાઘેલાએ ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં તેઓને પોલીસ કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા સંબંધે તૈયારી માટે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ તકે બોધીસત્વ ટ્રસ્ટના મેમ્બરો દ્વારા મહિલા ડીવાયએસપીને બાબાસાહેબનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application