ત્રાસના કારણે જંતુનાશક પ્રવાહી પી લીધાનો વિડીયો વાયરલ : સારવારમાં ખસેડાયો : ર૦ ટકા વ્યાજે લીધેલી રકમના ૧ લાખ ચુકવી દેવા છતા પઠાણી ઉઘરાણી
જામનગર શહેરમાં વ્યાજના વિષચક્રમાં વધુ એક મેમણ વેપારી ફસાયા છે, અને વ્યાજખોરના ત્રાસના કારણે જંતુનાશક પ્રવાહી પી લીધાનો એક વિડીયો સોશ્યલ મિડીયા પર વાયરલ થયો હતો દરમ્યાન યુવાન વેપારીને સારવારમાં ખસેડવામાં આવ્યા છે બીજી બાજુ આ બનાવ અંગે રબ્બાની પાર્ક પાછળ રહેતા એક શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગરમાં મોરકંડા રોડ પર રબાની પાર્ક શેરી નંબર ૫માં રહેતા અને વેપાર કરતા જેનુલભાઈ ઓસમાણભાઈ રાજકોટિયા (ઉ.વ.૨૫) નામના મેમણ વેપારીએ એક વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ કર્યો હતો જેમાં પોતે કરજમાં આવી ગયો છે અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપવામાં આવે છે જેના કારણે ઝરેી પ્રવાહી પી લેવાનો વારો આવ્યો છે એ પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો અને આ યુવાન સારવાર હેઠળ હોય એવી વિગતો બહાર આવી હતી.
આ બનાવ અંગેની પોલીસને જાણ થતાં સીટી એ. ડિવિઝનના એએસઆઈ એચ. આર. બાબરીયા હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને તેનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પોતે વ્યાજખોરની ચુંગાલમાં ફસાયા હોવાની જાણ કરી હતી.
રબ્બાનીપાર્કમાં રહેતા વેપારી જેનુલભાઇ રાજકોટીયાએ ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં રબ્બાની પાર્ક પાછળ આવેલ ગરીબ નવાઝ પાર્કમાં રહેતા સમીર અન્સારી નામના ઇસમ વિરુઘ્ધ બીએનએસ કલમ ૩૫૧(૨), ૩૫૨ તથા મનીલેન્ડર્સ એકટ મુજબ વિધિવત ફરીયાદ નોંધાવી હતી.
જેમા જણાવ્યા મુજબ ઓકટોબર ૨૦૨૪ના સમયગાળામાં ફરીયાદી જેનુલભાઇએ આરોપી પાસેથી ા. બે લાખ માસીક ૨૦ ટકા લેખે વ્યાજે લીધા હતા અને આજ સુધી એક લાખ પીયા વ્યાજ ચુકવી આપેલ હોય તેમ છતા ગત તા. ૨૮ના રાત્રીના સમયે આરોપીઅએ ફરીયાદીના ઘર પાસે જઇને અપશબ્દો બોલી વ્યાજના પીયાની પઠાણી ઉઘરાણી કરી હતી.
અને પીયા નહી આપે તો તકલીફ પડશે તેવી ધમકી દીધી હતી આથી મામલો પોલીસમાં પહોચતા ફરીયાદ અનુસંધાને પોલીસ દ્વારા આરોપી સમીર અંસારીની શોધખોળ ચલાવવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વ્યાજખોરોના ત્રાસ બાબતની જુદી જુદી ૩ થી ૪ ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ ચુકી છે અને વધુ એક મામલો પહોચ્યો છે.