જામજોધપુરમાં યુવતિએ ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી

  • September 30, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામજોધપુરના રાજાણી પ્લોટ ખાતે રહેતા આહિર પરિણીતાએ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી, બીજી બાજુ પોલીસ દ્વારા બનાવ પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.



જામજોધપુરના રાજાણી પ્લોટ રસિક માર્કેટ પાસે રહેતા ભાવિશાબેન વિશાલભાઇ પોપાણીયા (ઉ.વ.૨૯) નામની પરિણીતાએ ગઇકાલે બપોરે પોતાના રહેણાંક મકાનના ‚મમાં કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.


આ અંગે રાજાણી પ્લોટ ખાતે રહેતા ટ્રાવેલ્સના ધંધાર્થી વિશાલ માલદેભાઇ પોપાણીયાએ જામજોધપુર પોલીસમાં જાણ કરતા કયા કારણસર પગલુ ભર્યુ એ સહિતની દિશામાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application