જય શાહ બન્યા ICCના નવા અધ્યક્ષ, 1 ડિસેમ્બરથી સંભાળશે નવો કાર્યભાર

  • August 28, 2024 09:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




BCCIના સચિવ જય શાહ આઈસીસી ચેરમેન બન્યા છે. જય શાહ હવે ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલેનું સ્થાન લેશે. નવા અધ્યક્ષ 1 ડિસેમ્બરથી ICCનો ચાર્જ સંભાળશે. આ સાથે જ 35 વર્ષની વયે ICCના અધ્યક્ષ બની તેમને રેકોર્ડ સ્થાપ્યો છે.



શાહ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા

જય શાહ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા અધ્યક્ષ બન્યા છે. આઈસીસીએ કહ્યું કે, શાહ બિનહરીફ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. તેઓ 1 ડિસેમ્બરના રોજ ICC અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે. 



ઉલ્લેખનીય છે કે, કોઈ વ્યક્તિ ત્રણ વખત ICC અધ્યક્ષ બની શકે છે અને તેનો કાર્યકાળ 2 વર્ષનો હોય છે. ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે ટૂંક સમયમાં ચેરમેન તરીકે ચાર વર્ષ પૂર્ણ કરશે અને તેમનો વર્તમાન કાર્યકાળ 30 નવેમ્બરે પૂરો થશે. 



અત્યાર સુધીમાં 4 ભારતીય ICCના ચેરમેન બન્યા



અત્યાર સુધી 4 ભારતીયો ICC ચીફનું પદ સંભાળી ચૂક્યા છે. જગમોહન દાલમિયા 1997-2000 સુધી ICC પ્રમુખ હતા. શરદ પવાર 2010થી 2012 સુધી પ્રમુખ પણ હતા. એન શ્રીનિવાસન 2014-15માં ICCના અધ્યક્ષ હતા અને શશાંક મનોહર 2015-2020 સુધી હતા.

BCCIમાં જય શાહનું સ્થાન કોણ લેશે?

મીડિયા રિપોર્ટ અનુસાર, જો જય શાહ આઈસીસીના ચેરમેન બને છે તો DDCAના પ્રેસિડન્ટ રોહન જેટલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા સચિવ બની શકે છે. રોહન જેટલી છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિએશન સાથે જોડાયેલા છે. રોહન જેટલી પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વર્ગીય અરુણ જેટલીનો દિકરો છે. રિપોર્ટ મુજબ રોહન બીસીસીઆઈ સચિવ બનવાની રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application