ભારતનો એશિયા કપ 2023ની ફાઇનલમાં પ્રવેશ, રોહિત બેટથી તો કુલદીપ બોલથી બન્યા હીરો

  • September 13, 2023 12:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવારે પાકિસ્તાન બાદ ભારતીય ટીમ મંગળવારે સુપર-4 મેચમાં શ્રીલંકાને 41 રને હરાવીને રવિવારે યોજાનાર એશિયા કપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. ભારતીય ટીમ હવે શુક્રવારે બાંગ્લાદેશ સામે સુપર-4ની ફાઇનલ મેચ રમશે.


સોમવારે પાકિસ્તાન બાદ ભારતીય ટીમ મંગળવારે સુપર-4 મેચમાં શ્રીલંકાને 41 રને હરાવીને રવિવારે યોજાનાર એશિયા કપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. એક દિવસ પહેલા જ્યાં ભારતીય બેટ્સમેનોએ બે વિકેટે 356 રન બનાવ્યા હતા, બીજા દિવસે તેઓ શ્રીલંકાના બોલરોની સામે 49.1 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા.


ભારતની આગામી મેચ બાંગ્લાદેશ સામે

બાંગ્લાદેશની ટીમ પહેલાથી જ ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. હવે ગુરુવારે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાનારી મેચની વિજેતા ટીમ બીજી ફાઇનલિસ્ટ હશે. ખાસ વાત એ છે કે માત્ર ભારતના ચાહકો જ નહીં પરંતુ પાકિસ્તાનના પ્રશંસકો પણ પ્રાર્થના કરી રહ્યા હતા કે ટીમ ઈન્ડિયા જીતે કારણ કે આવી સ્થિતિમાં તેમની ફાઈનલની શક્યતાઓ વધી ગઈ છે.


ભારતીય બોલરોએ કરી બતાવ્યો કમાલ

એક દિવસ પહેલા જ્યાં ભારતીય બેટ્સમેનોએ બે વિકેટે 356 રન બનાવ્યા હતા, બીજા દિવસે તેઓ શ્રીલંકાના બોલરોની સામે 49.1 ઓવરમાં 213 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. એક સમયે શ્રીલંકાએ 37.2 ઓવરમાં છ વિકેટે 162 રન બનાવીને ભારતીય ટીમના ધબકારા વધારી દિધા હતા, પરંતુ જાડેજાએ ધનંજય ડી સિલ્વા (41)ને કેચ આઉટ કરાવીને મેચને ભારતની તરફેણમાં ફેરવી દીધી હતી.


કુલદીપે સૌથી વધુ વિકેટ લીધી

ધનંજયે બોલિંગ હીરો દુનિથ નેતમિકા વેલાલાગે (42 અણનમ) સાથે સાતમી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. આ પછી શ્રીલંકાની ટીમ 41.3 ઓવરમાં 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. છેલ્લી મેચમાં પાંચ વિકેટ ઝડપનાર કુલદીપે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application