પ્રાપ્ત માહિતી અનુસાર, કેનેડાની ગુપ્તચર એજન્સીએ ગઈકાલે દાવો કર્યો હતો કે ભારત અને ચીન આગામી કેનેડાની સામાન્ય ચૂંટણીઓમાં દખલ કરવાનો પ્રયાસ કરી શકે છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે રશિયા અને પાકિસ્તાન પણ આવું કરવાનો પ્રયાસ કરી શકે છે. નવનિયુક્ત વડાપ્રધાન માર્ક કાર્નેએ 28 એપ્રિલે તાત્કાલિક ચૂંટણી યોજવાનો નિર્ણય લીધો છે.
કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (સીએસઆઈએસ) એ આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે ઓટાવાના નવી દિલ્હી સાથેના સંબંધો ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. હકીકતમાં, કેનેડા તેની ધરતી પર સક્રિય ભારત વિરોધી તત્વો અને ખાલિસ્તાની સમર્થકોને પ્રોત્સાહન આપે છે અને ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં સંડોવણીનો આરોપ લગાવે છે.
કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર વેનેસા લોયડએ જણાવ્યું હતું કે વિરોધી સરકારી તત્વો ચૂંટણીમાં દખલ કરવા માટે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સનો વધુને વધુ ઉપયોગ કરી રહ્યા છે. લોયડને ટાંકીને જણાવાયુ હતું કે એવી પ્રબળ સંભાવના છે કે પીઆરસી (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના) કેનેડાની લોકશાહી પ્રક્રિયામાં દખલ કરવા માટે એઆઈ-સક્ષમ સાધનોનો ઉપયોગ કરશે, જેમાં આ વર્તમાન ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે અમે એ પણ જોયું છે કે ભારત સરકાર કેનેડિયન સમુદાયો અને લોકશાહી પ્રક્રિયાઓમાં દખલ કરવાનો ઇરાદો અને ક્ષમતા ધરાવે છે.
અગાઉ પણ કેનેડાએ આવા જ આરોપો લગાવ્યા છે જેને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ગયા વર્ષે 2019 અને 2021 કેનેડિયન ચૂંટણીઓમાં વિદેશી હસ્તક્ષેપની તપાસ કરતી સમિતિ સમક્ષ હાજર થયા હતા, જ્યાં તેમને વિદેશી શક્તિઓ દ્વારા ચૂંટણીઓને પ્રભાવિત કરવાના પ્રયાસોના આરોપોનો સામનો કરવો પડ્યો હતો.
હાલમાં કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં અભૂતપૂર્વ રાજદ્વારી મડાગાંઠ જોવા મળી છે. એકબીજા સામે આરોપો અને પ્રતિઆક્ષેપો બાદ બંને દેશોએ તેમના મિશનના વડાઓ સહિત ઘણા રાજદ્વારીઓને હાંકી કાઢ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદઃ બાવળાની કેમિકલ કંપનીમાં દુર્ઘટના, ઝેરી ગેસ ગુંગળામણથી બે શ્રમિકોના મોત
March 27, 2025 09:18 PMગુજરાત સરકારની મોટી કાર્યવાહી, 471 અધિકારી-કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં
March 27, 2025 08:27 PMગુજરાતમાં બે વર્ષમાં 56 સરકારી શાળાઓ બંધ, સરકારનો સ્વીકાર
March 27, 2025 08:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech