કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીઝ ઓસ્કારમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી. જેના કારણે લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. જો કે, એક ફિલ્મ હજુ પણ ભારત માટે આશાનું કિરણ છે. ગુનીત મોંગાની શોર્ટ ફિલ્મ ફરી એકવાર ઓસ્કાર 2025 માટે પસંદ કરવામાં આવી છે. આ અનુજા નામની શોર્ટ ફિલ્મ છે.આ ફિલ્મને અન્ય 15 ફિલ્મો સાથે લાઇવ-એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં પસંદ કરવામાં આવી છે.
ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે 97મા ઓસ્કાર સમારોહ પહેલા 10 કેટેગરી માટે શોર્ટલિસ્ટેડ ફિલ્મોની યાદી બહાર પાડી. આ કેટેગરીમાં એનિમેટેડ શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી ફીચર, ડોક્યુમેન્ટરી શોર્ટ, ઈન્ટરનેશનલ ફીચર, લાઈવ એક્શન શોર્ટ, મેકઅપ અને હેરસ્ટાઈલ, ઓરિજિનલ સ્કોર, ઓરિજિનલ સોંગ, સાઉન્ડ અને વિઝ્યુઅલ ઈફેક્ટનો સમાવેશ થાય છે. આમાંથી જો કોઈ ફિલ્મની સૌથી વધુ ચર્ચા થઈ રહી હોય તો તે ‘અનુજા’ છે. તે બે વખતના ઓસ્કાર વિજેતા ગુનીત મોંગા દ્વારા બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટને લાઈવ એક્શન શોર્ટ કેટેગરીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો છે.
‘અનુજા’ 9 વર્ષની છોકરીની વાર્તા છે. અનુજાએ ફેક્ટરી વર્ક અને અભ્યાસ વચ્ચે પસંદગી કરવાની હોય છે. અનુજાની બહેન પલક તેને કહે છે કે જે બોર્ડિંગ સ્કૂલમાં ભણે છે તે સ્માર્ટ બાળક છે. પલક કહે છે કે જેને સ્માર્ટ બનવું નથી તો તેની પાસે શું વિકલ્પ છે? તે તેની મોટી બહેન સાથે નવી દિલ્હીમાં કપડાની ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કરે છે. આ ફિલ્મનું નિર્દેશન એડમ જે. ગ્રેવ્સે કર્યું છે. જ્યારે ગુનીત મોંગાએ આ ફિલ્મમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે.
ફિલ્મની કાસ્ટમાં નાગેશ ભોસલે, સજદા પઠાણ, ગુલશન વાલિયા અને અનન્યા શાનભાગ મુખ્ય ભૂમિકામાં છે. હોલીવુડ સ્ટાર-લેખિકા મિન્ડી કલિંગ ‘અનુજા’ના નિર્માતા છે. આ ફિલ્મ યુનાઇટેડ સ્ટેટ્સમાં જૂન 2024માં રિલીઝ થઈ હતી. ‘અનુજા’નું નિર્માણ ગ્રેવ્સ ફિલ્મ્સ, કૃષ્ણા નાઈક ફિલ્મ્સ અને શાઈન ગ્લોબલના બેનર હેઠળ કરવામાં આવ્યું છે.
અહી જણાવી દઈએ કે તમામ 23 કેટેગરીમાં નોમિની માટે ઓસ્કાર વોટિંગ 8 જાન્યુઆરીથી શરૂ થશે અને 12 જાન્યુઆરીએ સમાપ્ત થશે. 17 જાન્યુઆરીએ નામાંકન જાહેર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકશ્મીરના પહલગામમાં આતંકવાદી ઘટનાના પગલે જામનગરમાં આક્રોશ
April 23, 2025 05:51 PMરાજકોટથી કાશ્મીર ગયેલા તમામ પ્રવાસીઓ સલામત, કલેક્ટરે દરેક પ્રવાસીના ઘરે અધિકારીઓને દોડાવ્યા
April 23, 2025 05:20 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech