કુરંગા ગામે પ્રેમ સંબંધ ધરાવતા યુવક-યુવતીએ સજોડે ઝેર પીધું

  • May 03, 2023 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફઈ-ભત્રીજાએ આપધાત કરી લેતા ભારે ચકચાર

ખંભાળિયાના શક્તિનગર વિસ્તારના રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામે રહેતા વિજયભાઈ રામાભાઈ વાઘેલા નામના 21 વર્ષના દેવીપુજક યુવાન તથા કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા શારદાબેન મેરૂભાઈ ડાયાભાઈ ચૌહાણ 30 નામના પરિણીત મહિલાઓ વચ્ચે પ્રેમ સંબંધ હોય, જેથી આ બંને યુવાન-યુવતી થોડા દિવસ પૂર્વે ભાગી ગયા હતા.
આ બંને ફોઈ-ભત્રીજો થતા હોય, તેથી તેઓના લગ્ન થઈ શકે તેમ ના હોવાથી સમાજમાં નીચું જોવાનું થશે તેમ તેવી પરિસ્થિતિ હોવાથી વિજયભાઈ તથા શારદાબેને દ્વારકાથી આશરે 32 કિલોમીટર દૂર કુરંગા ગામે આવેલા એક મંદિર પાસે ઝેરી દવા પી લેતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા.
આ અંગેની જાણ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા કનુભાઈ રામાભાઈ વાઘેલા (ઉ.વ. 24) એ દ્વારકા પોલીસને કરી છે. જે સંદર્ભે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application