ઉપલેટાના ડુમિયાણી પાસે આવેલ ટોલનાકુ કોઈને કોઈ વિવાદમાં હંમેશા સપડાઈ રહ્યું છે તાજેતરમાં રોડના મેન્ટેઈનસ બાબતે અશોક કંપનીના કર્મચારી અને કોન્ટ્રાક્ટરો વચ્ચે થયેલી બબાલમાં નોંધાયેલી ફરિયાદ બાદ પાલિકાના પૂર્વ પ્રમુખના ભાઈએ પત્રકાર પરિષદ યોજી આ ઘટનામાં તેઓને ખોટી રીતે ફીટ કરી જાહેર જીવનમાં બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી હોવાનું જણાવેલ છે.
આ અંગે પાલિકાના પૂર્વ પ્રમુખના ભાઈ તેમજ અશોક કંપનીના સેફ્ટી સુપર વાઈઝર જયસુખ બારાઈ અને જેનું નામ ફરિયાદમાં છે તેમણે યોજેલ પત્રકાર પરિષદમાં જણાવેલ કે તેમના ભાઈ પાલિકાના પૂર્વ પ્રમુખ હોય તેઓને ખોટી રીતે બદનામ કરવા આ ઘટના ચગાવવામાં આવી છે. વધુમાં જણાવેલ કે જે ઘટના રાત્રે બનેલ હતી ત્યારે મારા ભાઈ બન્ને અમારા નિવાસ સ્થાને હતા જે સીસીટીવી કેમેરા મોજૂદ છે અને વાહનો અમે જપ્ત કરેલા છે તેવા આક્ષેપનું ખંડન કરતાં જણાવેલ કે જે જગ્યાએ વાહનો રાખવામાં આવ્યા છે તે વાહનો રાખવા માટેની જગ્યા ભાડે રાખવામાં આવી છે. આ જગ્યાની માલિકી ગોપાલભાઈ જોગલની છે તેની સાથે અમારે કોઈ લેવા-દેવા નથી જ્યારે સેફ્ટી સુપરવાઈઝર જયસુખ બરાઈ જણાવેલ કે બનાવના રાત્રિના સમયે ફોન આવ્યો ત્યારે ઘણા માણસો હતા. તેમાં બબાલ થતાં એક વ્યક્તિને હાથમાં ઈજા થઈ હોવાનું જણાવેલ. આ અંગે અમે ક્રોસ ફરિયાદ પણ કરેલ છે. પૂર્વ પ્રમુખના ભાઈએ જણાવેલ કે, મને રાત્રે ફોન આવેલ ત્યારે હું ત્યાં સ્થળ ઉપર ગયેલ ત્યારે અશોક કંપનીના માણસો અને સુપર વાઈઝર સહિતના લોકો હતા આ અંગે સામાન્ય બોલાચાલી થયા બાદ અમુક શખ્સો દ્વારા ધોકા મારવામાં આવતા હું બચાવવા વચ્ચે પડતા મને પણ હાથના ભાગમાં ઈજા થયેલ પણ મારું નામ ફરિયાદમાં ખોટી રીતે નાંખી દેવામાં આવ્યું છે. સમગ્ર ઘટનામાં ક્રોસ ફરિયાદ નોંધાવતા જણાવેલ કે તા.૨ને રાત્રીના સાડા બાર વાગ્યાની આસપાસ વરજાંગ જાળિયા ગામ પાસે અશોક કંપનીના વાહનો રાખવાના સ્થળે પહોંચતા તું કોણ છો તેમ કહી અજયસિંહ ઠાકોરે મને હાથમાં ધોકો મારેલો, મને છોડાવવા વચ્ચે પડતાં એટલામાં સેફુદીન અને મેહુલભાઈ એરવાડીયા પણ વચ્ચે પડી જપાજપી કરવા લાગ્યા હતા અને છ શખ્સોએ અમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મસાલા પાપડમાં ઈયળ નીકળવા મામલે JMC ફૂડ શાખાના અધિકારીએ આપી પ્રતિક્રિયા....
July 08, 2024 06:32 PMજામનગરના ઉમિયા નગરમાં ધોડાએ નિવૃત્ત શિક્ષકને અડફેટે લીધા...
July 08, 2024 06:21 PMકેરાટિન કે સ્મૂથનિંગ, તમારા વાળ માટે ક્યું છે શ્રેષ્ઠ?
July 08, 2024 06:19 PMજામનગરમાં વોર્ડ નબર 3ના કોર્પોરેટર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
July 08, 2024 06:14 PMજય શાહની BCCIમાંથી ICCમાં જવાની અટકળો, જાણો ક્યારે થશે અધ્યક્ષ પદ માટે ચૂંટણી?
July 08, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech