જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં પોતાના માવતરે આંટો દેવા માટે આવેલી પરણિતાને પોતાના ભાભી સાથે ઝઘડો થતાં મનમાં લાગી આવ્યું હતું, અને ઘરમાં પડેલું એસીડ પીલઇ આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતી અને ધ્રોળ તાલુકાના ઇટાળા ગામમાં પરણેલી મધુબેન લાલાભાઇ રાતડીયા નામની ૨૨ વર્ષની ભરવાડ યુવતી કે જે પરમદીને પોતાના માવતરે પ્રસંગ હોવાથી વાવડી ગામે આંટો દેવા માટે આવી હતી.
જે દરમિયાન તેણીના ભાભી સાથે બોલાચાલી થઈ હતી, જેનું મનમાં લાગી આવતાં તેણીએ ઘરમાં પડેલું એસીડ પીલઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે પમીબેન છગનભાઈ ટોયટા એ પોલીસને જાણ કરતાં જોડીયા ના પી.એસ.આઇ. બી. એલ. ઝાલાએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ એરપોર્ટ પર સાત ફ્લાઈટ્સ પૂર્વવત સવારની બે ફ્લાઈટ્સ શેડ્યુલ કરતા પાછળ
May 15, 2025 11:04 AMઆરટીઈમાં ખાલી પડેલી ૧૩૩૯૯ બેઠકમાં એડમિશન માટેનો આજે બીજો રાઉન્ડ
May 15, 2025 10:47 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech