કરદેજ ખાતે રેસ્ટોરેન્ટ ધરાવતા આધેડ રાત્રે તેમની હોટલમાં સુતા હતા ત્યારે અગાઉ વાડીના રસ્તા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી એક શખ્સ તલવાર સાથે ધસી આવ્યો હતો અને તેણે હુમલો કર્યો હતો. આ હુમલાના પગલે લોકો ભેગા થઈ જતા આરોપી ફરાર થઈ ગયો હતો. વરતેજ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
કરદેજ ગામે રહેતા રામાભાઈ ખમળએ નોંદાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજુભાઈ સાદુળભાઇ કુવાડીયા (રહે.કરદેજ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી તેમજ તેના કાકા અને દાદાને આરોપી સાથે વાડીના રસ્તા બાબતે ઝઘડો થયો હતો અને તે ઝઘડાની અદાવત રાખી આરોપી ફરિયાદીની રાધે રેસ્ટોન્ટ પર ધસી આવ્યો હતો. આરોપી આવ્યો તે સમયે ફરિયાદી હોટલમાં સુતા હતા. આરોપી ગાળો આપતો હોય ફરિયાદીએ જાગીને ગાળો ન આપવાનું કહેતા આરોપી ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે તલવારથી હુમલો કરતાં ફરિયાદીને આંગળીના ભાગે ઈંજા પહોંચી હતી. તલવારથી હુમલો થતાં લોકો ભેગા થઈ ગયા. હતા અને બનાવની જાણ થતાં ફરિયાદીનો ભત્રીજો પણ રેસ્ટોરન્ટ ખાતે દોડી આવ્યો હતો. જ્યારે આરોપી હુમલો કરી ફરાર થઈ ગયો હતો. વરતેજ પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech