હળવદ મોરબી ચોકડી પાસે મંજૂરી કામ કરી પોતાનું પેટીયું રળી ઝુપડામાં રહેતા ૨૭ વર્ષીય યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત નીપયું હતું હળવદ પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી હતી જેમાં પત્નીના આડા સંબંધની આશંકાએ યુવાને આપઘાત કર્યાનું ખુલ્યું હતું.
હળવદ મોરબી માળિયા ચોકડી પાસે ઝુપડામાં રહેતા અનીલ ભાવસંગભાઈ ભાભોર (ઉ.વ.૨૭) નામના યુવાને તા. ૦૨ ના રોજ સાંજે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી યુવાનનું મોત થયું હતું હળવદ પોલીસે મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો,હળવદ પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ મૃતક યુવાને પત્નીના આડા સંબંધની શંકાએ આપઘાત કર્યેા છે પત્ની અન્ય યુવાન સાથે ફોનમાં વાતચીત કરતી હોવાથી આપઘાત કરી લીધો હતો તેમજ કોન્ટ્રાકટર શ્રમિક પરિવારને ત્રણ મહિના સુધી પગાર નહિ ચૂકવી શોષણ કરતો હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે. આ બાબતે મૂતકના પરિવારજનો તેના ભાઈ અને બહેને જણાવ્યું હતું કે કડિયા કામ કરતી વેળાએ કોન્ટ્રાકટર હિતેશ સાથે ફોનમાં વાતચીત કરવાનું લાગી આવતા મારા ભાઈએ આપઘાત કર્યેા હતો, અમારા પરિવારને ત્રણ મહિના સુધી પગાર નહીં ચૂકવીને કોન્ટ્રાકટર શોષણ કરતો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યેા હતો એટલું જ નહીં બનાવ બન્યો ત્યારનો કોન્ટ્રાકટ હીતેશ મોબાઈલ સ્વીચ ઓફ કરી ગુમ થયો ગયો હતો,ન્યાય માટે મૃતક યુવાનના પરીવારજનો પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજોડીયાના તારાણા ગામ પાસે ટ્રકની હડફેટે યુવાનનું મોત
June 07, 2025 01:12 PMઅલીયા ગામનો શખ્સ જામનગર જીલ્લામાંથી હદપાર
June 07, 2025 01:09 PMજામનગરમાં અપહરણનો લિસ્ટેડ આરોપી ઝડપાયો
June 07, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech