વિધાનસભાની ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. અહીં તેમણે પુંછ જિલ્લાના મેંઢરથી એક જનસભાને સંબોધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સરહદ પર શાંતિ છે. કારણ કે, પાકિસ્તાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ડરે છે અને ગોળીબાર કરવાની હિંમત કરી શકે છે.
શાહ કેન્દ્ર શાસિત પ્રદેશના પૂંચ જિલ્લાના સરહદી વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મુર્તઝા ખાનના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે બંદૂકો અને પથ્થરોને બદલે યુવાનોના હાથમાં લેપટોપ આપીને આતંકવાદને ખતમ કરવા માટે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની પ્રશંસા કરી અને કહ્યું કે, તેમની સરકાર જમ્મુ ક્ષેત્રની પહાડીઓમાં બંદૂકો ગુંજવા દેશે નહીં.
શાહે વિપક્ષ પર સાધ્યું નિશાન
વિપક્ષ પર નિશાન સાધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવામાં ત્રણ પરિવારોની મહત્વની ભૂમિકા છે. આ ચૂંટણી ગાંધી, અબ્દુલ્લા અને મુફ્તીની રાજનીતિનો અંત લાવવાની છે.
અમિત શાહે કહ્યું કે, અમે લોકોની સુરક્ષા માટે સરહદ પર વધુ બંકર બનાવીશું. હું તમને 1990ના દાયકામાં સરહદ પારથી થયેલા ગોળીબારની યાદ અપાવવા માંગુ છું. શું આજે પણ સરહદ પારથી ગોળીબાર થાય છે?
કારણ કે અહીં પહેલા શાસકો પાકિસ્તાનથી ડરતા હતા, પરંતુ હવે પાકિસ્તાન મોદીથી ડરે છે. શાહે કહ્યું કે તેઓ ગોળીબાર કરવાની હિંમત નહીં કરે પરંતુ જો તેઓ કરશે તો તેમને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
ચાર જિલ્લામાં જાહેરસભાઓને સંબોધશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ત્રણ દિવસની મુલાકાતે છે અને પૂંચમાં સુરનકોટ, રાજૌરી જિલ્લાના થાનામંડી અને રાજૌરી અને જમ્મુ જિલ્લાના અખનૂરમાં વધુ ચાર ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે. ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કર્યા પછી અને અગાઉના રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો - જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કર્યા પછી જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે.
જણાવી દઈએ કે, 18 સપ્ટેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. બીજો તબક્કો 25 સપ્ટેમ્બરે થશે, ત્યારબાદ ત્રીજો અને અંતિમ તબક્કો 1 ઓક્ટોબરે થશે. 8 ઓક્ટોબરે ચૂંટણીના પરિણામો જાહેર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીનની 'બેટવુમન'એ શોધ્યો બેટ કોરોના વાયરસ
February 24, 2025 11:07 AMશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech