જીએસટી કાઉન્સિલની આજની બેઠક સરકારના પ્રથમ સંપૂર્ણ બજેટ પહેલાં નોંધપાત્ર કર સુધારા માટે માર્ગ મોકળો કરી શકે તેવા કેટલાક મુખ્ય પગલાંઓ લેવામાં આવે તેવી સંભાવના છે. એજન્ડાની આઇટમ્સમાં પાન મસાલા અને સિગારેટ જેવા ઉત્પાદનો પર જીએસટી વળતર ઉપકરમાંથી એકત્ર કરાયેલા અંદાજે રૂ. 70,000 કરોડનો ઉપયોગ કરવા અંગે તથા 2017 અને 2020 ની વચ્ચે જારી કરાયેલ ટેક્સ નોટિસ પર વ્યાજ અથવા દંડની ઇરાદાપૂર્વકના ડિફોલ્ટના કિસ્સાઓ સિવાયના કેસોમાં સંભવિત માફી બાબતે પણ ચચર્િ થઇ શકે છે
.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 53મી બેઠક શનિવારે તેની બેઠકમાં સંખ્યાબંધ પગલાં પર વિચારણા કરે તેવી શક્યતા છે જે મોદી 3.0 ના આગામી સંપૂર્ણ પ્રથમ બજેટમાં વ્યાપક કર સુધારણા માટે સૂર સેટ કરે તેવી અપેક્ષા છે.
પાન મસાલા, સિગારેટ વગેરે જેવા જેને પાપ્ની પ્રોડક્ટ કહેવામાં આવે છે તેમાંથી એકત્ર કરાયેલ જીએસટી વળતર ઉપકરની રૂ. 70,000 કરોડની રકમનો ઉપયોગ સરકાર દ્વારા થઈ શકે છે. અન્ય ચચર્ઓિઓનલાઈન ગેમિંગ કંપ્નીઓ માટે બેટ્સના સંપૂર્ણ મૂલ્ય પર 28 ટકા જીએસટી વસૂલવાના નિર્ણયની સમીક્ષાનો સમાવેશ થાય છે.
જીએસ્ત કાઉન્સિલ નોટિસ જારી કરવા માટે સમયરેખા સુવ્યવસ્થિત કરવા, એપેલેટ ટ્રિબ્યુનલમાં વિવાદોને આગળ ધપાવવા માટે નાણાકીય મયર્દિા સ્થાપિત કરવા અને નફાખોરી વિરોધી કેસો માટે સમયમયર્દિા નક્કી કરવા પર પણ વિચારણા કરી શકે છે. આ સુધારાઓનો ઉદ્દેશ્ય કર કેસો ઓછો કરવાનો અને વ્યવસાય કરવાની સરળતા વધારવાનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech