તારે ઘર વેચવું હોય તો વેચી નાખ અમારા વ્યાજના પૈસા આપવા પડશે

  • February 22, 2024 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરના ગોંડલ દરવાજા પાસે રહેતા વિધવા પ્રૌઢા પડોસમાં રહેતા દંપતિએ વ્યાજના પૈસાની ઘરે જઈ ઉઘરાણી કરી તારે મકાન વેચવું હોઈ તો વેંચી અમારા પૈસા નહીં આપ્યા તો જીવતી નહીં રહેવા દઈએ તેમ ધમકી આપતા પ્રૌઢાએ જેતપુર સીટી પોલીસ મકમાં દંપતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.
દેવુબેન તેજાભાઈ દેગડા (ઉ.વ.૬૦)નામના પ્રૌઢાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મજૂરી કામ કરું છું અને મારા પતિ હયાત ની સંતાનમાં દીકરી છે જે સાસરે છે. મારે પ્રસંગોપાત પૈસાની જરૂર પડતી હોવાી પડોશમાં રહેતા મોહનભાઇ પીઠાભાઇ કટારીયા અને તેની પત્ની સુનીતાબેન પાસેી સાતેક વર્ષ પહેલા રૂ. ૫૦,૦૦૦ જેટલી રકમ ૧૦ % ઉંચા વ્યાજે લીધી હતી. તેનું દર મહિને વ્યાજ ચૂકવતી હતી. છેલ્લા પાંચેક મહિનાી આ પૈસા ચૂકવી ન શકતા ત્રણેક મહિના પહેલા મોહનભાઇ અને તેની પત્ની સુનીતાબેન મારા ઘરે આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે, તમે અમને પાંચેક મહિનાી રૂપિયો વ્યાજનો આપ્યો ની, તારે મકાન વેચવું હોય તો વેંચી નાખ પણ અમારા વ્યાજના પૈસા આપવા પડશે નહિતર જીવતી નહીં રહેવા દઈએ કહી ધાક ધમકી આપી હતી.પોલીસે પ્રૌઢાની ફરિયાદ પરી દંપતી વિરુધ્ધ આઈપીસીની કલમ ૫૦૪, ૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવહી હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application