મારી પાસે છે 30 કૌભાંડીઓના નામ: યુવરાજસિંહ જાડેજાએ ભાવનગર પોલીસ સમક્ષ હાજર થતા પહેલા કહ્યું

  • April 21, 2023 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડમી કાંડ કેસમાં ભાવનગર પોલીસ સમક્ષ હાજર થતા પહેલા યુવરાજસિંહ જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે મારી સામે જે ષડયંત્ર થાય છે તે AAP ને દબાવવાનો પ્રયાસ છે જો મારા માટે સમન્સ નીકળું છે તો જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ




તેમજ કૌભાંડમાં પૂર્વ શિક્ષણ પ્રધાન અને વર્તમાન કેટલાક પ્રધાનને સમન્સ આપવુ જોઈએ આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અસિત વોરા નું પણ સમન્સ નીકળવું જોઈએ




મારી પાસે 30 કૌભાંડીઓના નામ છે જેમાં કેટલાક મોટા માથાઓ પણ સંકળાયેલા છે બાંધકામ સમિતિના ચેરમેન ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અવધેશ પટેલ અવિનાશ પટેલને કેમ સમન્સ નથી પાઠવ્યું? મારો અવાજ દબાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આજ કે કાલ પતાવી દેવામાં આવશે મારુ હીટ હીટ એન્ડ રન પણ થઈ શકે છે તેમજ યુવરાજસિંહ આક્ષેપ કર્યો હતો કે મારા પર દ્વેષ રાખીને આ કાર્યવાહી થઈ રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application