હાલ રેલનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ કુવાડવા રોડ પર રાણપુર નવાગામમાં રહેતા પતિ સહિતના સાસરિયાઓ સામે શારીરિક–માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કર્યા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હાલ રેલનગર વિસ્તારમાં રહેતી ૨૬ વર્ષીય પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાણપુર નવાગામ સરકારી કવાર્ટરમાં રહેતા પતિ મહેશ લાખાભાઈ ધામેચા, સસરા લાખાભાઈ ધામેચા, સાસુ કાંતાબેન, દિયર નરેશ, દેરાણી મનીષાના નામ આપ્યા છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા છ મહિનાથી અહીં તેના ફુવાના ઘરે રહે છે. તેના લ ગત તા. ૨૩-૨-૨૦૨૩ ના મહેશ ધામેચા સાથે થયા હતા. મહેશના આ બીજા લગ્ન હતા અને અગાઉના લગ્ન થકી મહેશને સંતાનમાં બે પુત્ર છે.
લગ્ન ના બે મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ પતિ શંકાશીલ સ્વભાવનો હોય તે ઘરની બહાર નીકળવા દેતો ન હતો અને માવતરના ઘરે પણ જવા દેતો ન હતો તથા દા પી મારકૂટ કરતો કોઈની સાથે ફોનમાં વાતચીત પણ કરવા દેતો ન હતો. સાસુ તથા દેરાણી ઘરકામ કરતાં આવડતું નથી અને રસોઈ બનાવતા આવડતી નથી તેમ કહી મેણાટોણા મારતા હતા. સસરા પુત્રવધુને પિતાના ઘરેથી દોઢ લાખ પિયા લઇ આવવાની જીદ કરી ત્રાસ આપતા હતા. દેરાણી મનીષા સાસુની ચઢામણી કરતી હતી.
એક વર્ષ પૂર્વે પરિણીતાના પિતા બીમાર હોય છતાં તેને માવતર જવા દેતા ન હતા તે બાબતે ઝઘડો કરી મારમાર્યેા હતો. બાદમાં પરિણીતાના પિતાની તબિયત વધુ બગડતા તેને હોસ્પિટલ દાખલ કર્યા હતા જેથી પરિણીતાને માવતર જવા દીધી હતી પરંતુ કહ્યું હતું કે, બે દિવસમાં પરત આવી જજે. પંદરેક દિવસ બાદ તેના પિતા અવસાન પામ્યા હતા જેથી તેના અંતિમ ક્રિયામાં સાસુ–સસરા આવ્યા હતા. વાત ત્રણેક દિવસ પછી પતિનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તને બે દિવસ રોકાવાનું કહ્યું હતું છતાં તું આટલા દિવસ સુધી કેમ પરત ના આવી તેમ કહી ઝઘડો કર્યેા હતો. તથા ગાળો આપી કહ્યું હતું કે, તારે તારા મોટા બાપુના દીકરા સાથે આડા સંબંધો છે તેવું કહી શંકા કરતો હતો. ત્યારબાદ પરિણીતાના વડીલો તેના સાસરીયે જઈ સમજાવા જતા તેમણે દોઢ લાખ પિયાની માંગણી કરી હતી. જેથી તેઓ પરત આવી ગયા હતા. બાદમાં અવારનવાર સમાધાનના પ્રયત્નો કરવા છતાં સાસરીયાઓએ પરિણીતાને પરત તેડી જવાની કોઈ દરકાર ન લેતા અંતે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ સહિતના સાસરિયાઓ વિદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech