હડતાલ પાડવામાં આવી: કોર્ટ કાર્યવાહીથી એડવોકેટ દુર રહ્યા: કોર્ટના દરવાજાને બંધ કરીને પણ વિરોધ દર્શાવવામાં આવ્યો
જામનગરના એડવોકેટ હારુન પલેજા ની સરા જાહેર હત્યા નીપજાવવાની ઘટનાના જામનગરના વકીલ મંડળમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આજે જામનગર બાર એસોસીએશનના પ્રમુખ ભરત એચ. સુવાની આગેવાની હેઠળ તમામ વકીલો આજની અદાલતની સંપૂર્ણ પ્રકારની કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે, અને બંધ પાડી વિરોધ દર્શાવ્યો છે અને નગર વકીલની હત્યાના બનાવને વખોડી કાઢવામાં આવ્યો છે અને વકીલો દ્વારા સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા, તમામ વકીલો કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા અને ગેઇટ બંધ રાખ્યો હતો અને બાર એસો.ના પ્રમુખની આગેવાનીમાં તમામ હોદ્દેદારો અને સભ્યોએ એડવોકેટ હાન પલેજાની હત્યાના આરોપીઓને સત્વરે ઝડપી લઇ તેઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પણ વકીલ દ્વારા ઠરાવ તૈયાર કરીને જિલ્લા પોલીસવાળા લેખિત રજૂઆત કરવામાં આવી છે, આજે વહેલી સવારે તમામ સભ્યો ન્યાયાલયના પટાંગણમાં રોષ ભેર એકત્ર થયા હતા. અને હત્યાના બનાવને વખોડી કાઢ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech