બાંગ્લાદેશમાં વ્યાપક વિરોધ પછી તત્કાલીન વડા પ્રધાન શેખ હસીનાએ તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ પછી બાંગ્લાદેશમાં સ્થિતિ ખરાબ થતી ગઈ. તે જ સમયે ભારત-બાંગ્લાદેશના રાજદ્વારી સંબંધોમાં તિરાડ પડી હતી. બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ પરના નિવેદનોએ તણાવમાં વધારો કર્યો છે. શું જાણો છો કે બાંગ્લાદેશમાં હિન્દુઓની સંખ્યા કેટલી છે? પાકિસ્તાનથી અલગ થયા પહેલા બાંગ્લાદેશમાં આ સંખ્યા કેટલી હતી?
બાંગ્લાદેશમાં હિન્દુઓની વસ્તી કેટલી ઘટી?
બાંગ્લાદેશમાં હિંદુઓની વસ્તીમાં મોટો ઘટાડો થયો છે. 1947માં આ પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ)માં 25 ટકા હિંદુઓ હતા પરંતુ આજે આ સંખ્યા ઘટીને માત્ર 8-9 ટકા રહી ગઈ છે. હવે પ્રશ્ન એ છે કે તેઓ ક્યાં ગયા? શું તેમણે ધર્મપરિવર્તન કર્યું? શું તેઓ ભારત આવી ગયા? કે તેમની હત્યા કરવામાં આવી? જો કે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે પરંતુ બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત હિંસાએ ફરી એકવાર આ પ્રશ્ન પર ચર્ચા જગાવી છે.
ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડથી તણાવ વધ્યો?
ઈસ્કોન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની બાંગ્લાદેશમાં ધરપકડ કરવામાં આવી હતી. ચિન્મય કૃષ્ણ દાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો. તેમજ ત્રિપુરાની રાજધાની અગરતલામાં બાંગ્લાદેશ સબ-હાઈ કમિશનની ઈમારતમાં તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે બાંગ્લાદેશે આકરી પ્રતિક્રિયા આપી હતી. જે બાદ ભારતે આ મામલે ખેદ વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech