'છોટીકાશી' માં હિન્દુ નૂતન વર્ષની ઉજવણી

  • March 06, 2025 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રી સત્યનારાયણ મંદિરે અન્નકૂટ ઉત્સવનું આયોજન

'છોટીકાશી' કહેવાતા જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિરે હિન્દુ નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ નાં આરંભ નિમિત્તે ચૈત્ર સુદ એકમનાં દિને તા. ૩૦/૩/૨૦૨૫ ને રવિવારે સાંજે ૫:૩૦ થી ૮ દરમ્યાન અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

નવ વર્ષનાં આરંભે સૌપ્રથમ ભગવાનને ભોગ ધરાવાના ભાવથી અન્નકૂટ ઉત્સવ યોજાય છે. અન્નકૂટ ઉત્સવમાં વહેલા તે પહેલાનાં ધોરણે ૧૫૧ યજમાન સેવાનો લાભ લઇ શકશે. વધુ માહિતી માટે (મો. ૯૫૧૨૪ ૫૪૩૦૦) પર સંપર્ક સાધવાનો રહેશે.

શ્રી દ્વારકાપુરી મંદિરે ફૂલફાગ રસિયા ઉત્સવ

જામનગરમાં ખંભાળીયા ગેઇટ નજીક આવેલ પ્રાચીન શ્રી દ્વારકાપુરી મંદિરે હોળી નિમિત્તે પુષ્ટી માર્ગીય પરંપરા અનુસાર તા. ૯/૩ થી ૧૩/૩ દરમ્યાન પ્રતિદિન બપોરે ૧૨:૩૦ થી ૧:૩૦ દરમ્યાન ફૂલફાગ રસિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઠાકોરજી ફૂલની પાંખડીઓથી વૈષ્ણવો સાથે હોળી ખેલતા હોય એવા ભાવ સાથે ઉજવાતા આ ઉત્સવનો લાભ લેવા મુખ્યાજી રમેશભાઇ દ્વારા સર્વે વૈષ્ણવોને અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે (મો. ૯૪૨૯૫ ૫૭૦૪૫) પર સંપર્ક સાધવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application