ચુંગથાંગ તરફ જતો મુખ્ય રસ્તો હવે ખુલ્લો હોવા છતાં, ભારે વરસાદને કારણે રાત્રે તેના પર મુસાફરી કરવી સલામત નથી. આવી સ્થિતિમાં, શુક્રવારે ઉત્તર સિક્કિમ માટે કોઈ પરમિટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, પહેલાથી જ જારી કરાયેલા તમામ પરમિટ રદ કરવામાં આવ્યા છે.
મંગન જિલ્લાના પોલીસ અધિક્ષક સોનમ દેચુ ભૂટિયાએ જણાવ્યું હતું કે ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે રસ્તાઓને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લાચેન, લાચુંગ અને યુમથાંગને જોડતા મહત્વપૂર્ણ માર્ગો પ્રભાવિત
ભૂસ્ખલનના કારણે ઉત્તર સિક્કિમના મુખ્ય પર્યટન સ્થળો જેમ કે લાચેન, લાચુંગ અને યુમથાંગને જોડતા મહત્વપૂર્ણ માર્ગો પ્રભાવિત થયા છે. વસંત અને ઉનાળાની ઋતુમાં આ સ્થળો પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય રહે છે. અધિકારીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને ચેતવણી આપી છે કે તેઓ આ માર્ગો પર મુસાફરી કરવાનો પ્રયાસ ન કરે કારણ કે વધુ ભૂસ્ખલન અથવા રસ્તા તૂટી પડવાનું જોખમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech