નગર ગેટ વિસ્તારમાં તળાવના પાણી સાથે ગાંડી વેલ ફરી વળી
સલાયામાં ગઈકાલે રાત્રીના 10.30 થી કરી 12.30 વાગ્યા સુધી ભયાનક ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો. ગાજવીજ વધુ હોવાથી લોકોમાં પણ ભય ફેલાયો હતો. આટલા પ્રમાણમાં ગાજવીજ એને કડાકા ભડાકા સાથેનો વરસાદ જોઈ લોકો ધ્રુજી ઉઠ્યા હતા. આ વરસાદથી હનુમાન મંદિર પાસે આવેલ ગોળ તળાવ ભરાઈને ઓવર ફલો થયું હતું. જેથી નગર ગેટ, ધન શેરી, પાંજરાપોળ પાસે ગોઠણસમા પાણી ભરાયાં હતાં. અને વળી ગાંડી વેલથી ભરપૂર તળાવ ઓવરફલો થવાના લીધે સમગ્ર નગર ગેટ વિસ્તારમાં પાણી સાથે ગાંડી વેલ પણ તરતી નજરે પડી હતી.
અગાઉ ચોમાસા પહેલા અખબારી અહેવાલ આપ્યા હોવા છતાં તંત્રએ આં ગાંડી વેલ દૂર કરવાની તસ્દી લીધેલ નાં હોઈ આં ગાંડી વેલ તણાઈને રોડ ઉપર આવી ગઈ હતી. જોકે હવે તંત્ર વહેલી સાવરથી આં ગાંડી વેલ જે રોડ ઉપર આવી ગયેલ છે તેને ઉપાડી અને રસ્તો સાફ કરવા ટ્રેકટરો લઈ કામે લાગી ગયું છે. પરંતુ જો અગાઉ તળાવ સાવ ખાલી હતું ત્યારે આં વેલ જેસીબી દ્વારા કઢાવી હોત તો આં તળાવમાં પાણી લાંબો સમય ટકી શકત. પણ ગાંડી વેલ બાબતે હાલ સમગ્ર ગુજરાતમાં તંત્ર જાગ્યું નથી આખા વિસ્તારમાં આં સમસ્યા ઉભી છે.
ગઇકાલે રાતના લગભગ અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે વરસાદએ વિરામ લીધો છે. પરંતુ હજી વરસાદી માહોલ જામેલ છે. કાળા ડીબાંગ વાદળો આકાશમાં દેખાઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech