વડોદરાના હરણી તળાવમાં થયેલી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારો માટે રાહતના સમાચાર છે. વડોદરા કલેક્ટરે આજે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારોને વળતર આપવાની જાહેરાત કરી છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 બાળકોના પરિવારને દરેકને 31,75,700 રૂપિયાનું વળતર આપવામાં આવશે. જ્યારે મૃતક શિક્ષિકાઓ ફાલ્ગુની પટેલના પરિવારને 16,68,029 રૂપિયા અને છાયાબેન સુરતીના પરિવારને 11,21,900 રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત, દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બે લોકોને 50-50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે.
લાંબી રાહત બાદ આખરે ન્યાય:
હરણી બોટ દુર્ઘટના એક વર્ષ પહેલાં બની હતી અને આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ પીડિત પરિવારો વળતર માટે સતત સંઘર્ષ કરી રહ્યા હતા. આખરે તેમની લાંબી રાહતનો અંત આવ્યો છે અને સરકાર દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાત્ર એક જ વાર ડિસ્પોઝેબલ કપમાં ચા પીવાથી શરીરમાં 25,000 માઇક્રોપ્લાસ્ટિક કણો પ્રવેશે છે
April 26, 2025 02:39 PMસૌરાષ્ટ્ર કચ્છમાં વર્ષમાં કુલ ૬૩,૧૯૮ સ્થળેથી ૨૭૧ કરોડની વીજચોરી ઝડપાઇ
April 26, 2025 02:34 PMક્રાઈમ બ્રાન્ચની ૮ કલાકની પૂછપરછમાં તહવ્વુર આપી રહ્યો છે ગોળ ગોળ જવાબ
April 26, 2025 02:33 PMજુનાગઢના ગુજસીટોકના બે આરોપીના ડિફોલ્ટ જામીન હાઇકોર્ટ દ્વારા મંજુર
April 26, 2025 02:29 PMક્રોકરીના વેપારી સાથે રૂ.૧.૪૪ લાખની છેતરપિંડી
April 26, 2025 02:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech